ઉદ્ધવ ઠાકરેને NDAના નવા કન્વીનર બનાવવા હિલચાલ!!!

રાજનાથે ઉધ્ધવને એમ કહ્યું છે કે શિવસેના ભાજપનું સૌથી જૂનું મિત્ર હોઈ આ પદ તમારે જ લેવું જોઈએ. જો કે સૂત્રોનું કહેવું છે કે આ મુદ્દે ઉધ્ધવે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. જેડીયુ સાથે યુતિનો અંત આવ્યા બાદ હવે ઉધ્ધવ એનડીએની આ ઓફરનો સ્વીકાર કરે છે કે કેમ તેની પર સૌની નજર છે.
રાજનાથની આ ઓફર જનતા દળ (યુનાઈટેડ) પાર્ટીએ ભાજપ સાથેનો નાતો તોડી નાખ્યા બાદ આવી છે. બંને પક્ષ અલગ થયાં એ પહેલાં એનડીએનું કન્વીનર પદ જેડી (યુ)ના વડા શરદ યાદવ પાસે હતું.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાની સાથાપનાની 47મી વર્ષગાંઠ પ્રસંગે જાહેરમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી એનડીએ હિન્દુત્વના મુદ્દાને વળગી રહેશે ત્યાં સુધી શિવ સેના એનડીએને સાથ આપવાનું ચાલું રાખશે. માનવામાં આવે છે કે આગામી લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને એનડીએ શિવસેના સાથેનું પોતાનું જોડાણ વધારે મજબૂત બનાવી કોંગ્રેસના પ્રભુત્વવાળા મહારાષ્ટ્રમાં પોતાનું સ્થાન વધારે મજબૂત બનાવવા માંગે છે.












Click it and Unblock the Notifications
