રામ જન્મભૂમિ પર જ રામ મંદિર બનેઃ રાજનાથ સિંહ

અલ્હાબાદમાં મહાકુંભમાં વિશ્વહિન્દુ પરિષદની આ સભામાં હાજરી આપતા ભાજપ અધ્યક્ષે કહ્યું કે, રામ મંદિર આપણી પહેલી પ્રાથમિકતા છે. દેશના કરોડો રામભક્તોની ઇચ્છા છે કે, રામ જન્મભૂમિ પર રામ મંદિર બને અને એ કરોડો રામભક્તોની ઇચ્છા પૂર્ણ થવી જોઇએ. રામ જન્મભૂમિ પર જ રામ મંદિર બનવું જોઇએ.
નોંધનીય છે કે, વિહિપની આ બેઠકમાં ભાજપ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી માટે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામની ઘોષણા કરવામાં આવે અને આગામી ચૂંટણીને લઇને કોઇ ચોક્કસ પ્રકારની રણનીતિ ઘડવામાં આવે તેવી આશાઓ દેશના રાજકિય તજજ્ઞો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પહેલા વિશ્વ હિન્દુ પરિષદ(વિહિપ)ના વરિષ્ઠ નેતા અશોક સિંઘલે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની તુલના પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરુ સાથે કરી છે અને કહ્યું છે કે મોદી એવી જ લોકપ્રિયતાની અનુભૂતિ કરી રહ્યાં છે જેવી જવાહર લાલ નહેરુએ અનુભવી હતી. નહેરુ બાદ પહેલી વાર લોકો તરફથી એવી માગં આવી રહી છે કે મોદી દેશના પ્રધાનમંત્રી બને.
પૂર્વ વિહિપ ચીફનું આ પ્રકારનું નિવેદન ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહની મુલાકાત પહેલાના થોડા સમય અગાવ જ આવ્યું હતું. રાજનાથ સિંહ ત્યાં સંઘ પરિવારના વરિષ્ઠ નેતાઓને મળ્યા અને વિશ્વ હિન્દુ પરિષદની સેન્ટ્રલ એડવાઇઝરી કમિટિની બેઠકમાં ભાગ લીધો હતો. વિહિપનો સમારોહ મર્યાદા અને સીમા અનુરુપ હોવાનું જણાવતા પૂર્વ વિહિપ ચીફે કહ્યું છે, ' રાજકારણ સાથે જોડાઇને અમે શાંતિ ભંગ કરવા માગતા નથી. અમારો આત્મા સંપૂર્ણપણે હિન્દુ સમાજ માટે સમર્પિત છે.
-
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર?










Click it and Unblock the Notifications
