For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી કૂચ પર મોદીનું પ્રથમ પગરણઃ સંસદીય બોર્ડમાં થશે સામેલ

By Super
|
Google Oneindia Gujarati News

narendra-modi
નવી દિલ્હી, 30 માર્ચઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ની સંસદીય બોર્ડમાં સામેલ કરવામાં આવી રહ્યાં છે. બોર્ડના નવા સભ્યો તરીકે મોદીના નામ પર મોહર લાગી ચૂકી છે. આમ છ વર્ષ બાદ પાર્ટીની સૌથી શક્તિશાળી સમિતિમાં મોદી પુનરાગમન કરી રહ્યાં છે. શનિવારે સાંજે અથવા તો રવિવારે સવારે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ તેની જાહેરાત કરી શકે છે.

મોદી સંસદીય બોર્ડના સભ્ય બનવાની અટકળો તેઓએ સતત ત્રીજીવાર ગુજરાતની ચૂંટણી જીત્યા બાદથી લગાવાઇ રહી હતી. પાર્ટીના નવા અધ્યક્ષ રાજનાથ સિંહએ પણ મોદીના વધતા કદનો સ્વિકાર કર્યો હતો. સંસદીય બોર્ડમાં મોદી પાર્ટીના એકમાત્ર મુખ્યમંત્રી હશે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું નામ પણ ચર્ચાઇ રહ્યું હતું, પરંતુ માત્ર મોદીને સંસદીય બોર્ડમાં સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સંસદીય બોર્ડ ભાજપની સર્વોચ્ચ સમિતિ હોય છે અને તેના તમામ સભ્યો ચૂંટણી પ્રબંધન સમિતિના સભ્યો પણ હોય છે. ચૂંટણી, ઉમેદવારી સાથે જોડાયેલા નિર્ણયો હોય કે કોઇ નેતાને પાર્ટીમાં લેવાનો નિર્ણય પણ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. તેવામાં સંસદીય બોર્ડમાં મોદીની એન્ટ્રી રાષ્ટ્રીય સ્તરના રાજકારણની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે.

જૂના મહાસચિવોમાંથી ચારને નવી ટીમમાં સ્થાન મળી રહ્યું છે. સંગઠન મહામંત્રી રામલાલ, અનંત કુમાર, થાવરચંદ ગહલોત અને જેપી નડ્ડા યથાવત રહેશે. બાકીના છ નવા મહાસચિવોમાં નરેન્દ્ર મોદીના નજીકના અમિત શાહ અને વરુણ ગાંધીના નામ નક્કી છે. રાજીવ પ્રતાપ રૂડી પર પણ મોહર લાગી ચૂકી છે. જો કે, બિહારથી આવતા બીજા નેતા રાધામોહન સિંહનું નામ પણ ચર્ચામાં છે. બન્નેમાંથી કોઇ એકને સ્થાન મળશે.

English summary
Post Holi, it is suspense time in the BJP. Party president Rajnath Singh is expected to announce his new team of central office bearers over the weekend.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X