Raksha Bandhan 2024: પીએમ મોદીએ દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી, કહ્યુ - સમૃદ્ધિ અને ભાગ્ય લઈને આવે
Raksha Bandhan 2024: રક્ષાબંધનનો તહેવાર આજે (19 ઓગસ્ટ) દેશભરમાં ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે બહેન પોતાના ભાઈના હાથ પર રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્ય સાથે રક્ષાનું વચન લે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ખાસ દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના એક્સ અકાઉન્ટ પર લખ્યું, 'ભાઈઓ અને બહેનો વચ્ચેના અપાર પ્રેમનું પ્રતિક ધરાવતા તહેવાર રક્ષાબંધન પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ પવિત્ર તહેવાર તમારા સંબંધોમાં નવી મધુરતા લાવે અને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે.'

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ X પર લખ્યું, 'રક્ષા બંધનના શુભ અવસર પર, હું તમામ દેશવાસીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું. ભાઈઓ અને બહેનો વચ્ચેના પ્રેમ અને પરસ્પર વિશ્વાસની લાગણી પર આધારિત આ તહેવાર તમામ બહેનો અને પુત્રીઓ પ્રત્યે સ્નેહ અને આદરની લાગણી જગાડે છે. આ તહેવારના દિવસે હું ઈચ્છું છું કે તમામ દેશવાસીઓ આપણા સમાજમાં મહિલાઓની સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત કરવાની પ્રતિજ્ઞા લે.'
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું કે, 'ભાઈઓ અને બહેનો વચ્ચેના અપાર પ્રેમ અને અતૂટ વિશ્વાસના પ્રતિક એવા રક્ષાબંધનના મહાન તહેવાર પર રાજ્યના લોકોને હાર્દિક અભિનંદન અને અનંત શુભકામનાઓ, આ તહેવાર તમારા બધાના જીવનમાં સૌભાગ્ય લાવે તેવી પ્રાર્થના સમાજમાં સૌહાર્દ, સંવાદિતા અને સહકાર વધુ મજબૂત બને, ભગવાન શ્રી રામને મારી પ્રાર્થના.'
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પોતાના X પર લખ્યું, 'રક્ષા બંધનના પવિત્ર તહેવાર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમ અને સ્નેહના આ તહેવાર પર, હું દરેકના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરું છું.'
તે જ સમયે, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમની બહેન પ્રિયંકા ગાંધી સાથેની તસવીર શેર કરીને લખ્યુ, 'ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમ અને સ્નેહના તહેવાર રક્ષાબંધન પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. આ રક્ષાનો દોર હંમેશા તમારા પવિત્ર સંબંધને મજબૂતીથી જોડી રાખે.'
તમને જણાવી દઈએ કે રક્ષાબંધન એ પરંપરાગત હિન્દુ તહેવાર છે જેમાં બહેનો તેમના ભાઈઓના હાથ પર રક્ષા સૂત્ર અથવા 'રાખડી' બાંધે છે. બદલામાં, ભાઈઓ તેમની બહેનોને કોઈપણ પ્રકારની મુશ્કેલીથી બચાવવા માટે શપથ લે છે. આ ધાર્મિક વિધિ પરિવારોમાં પરસ્પર આદર અને સંભાળનું પ્રતીક છે.












Click it and Unblock the Notifications
