Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રામ જેઠમલાણીની ભાજપમાંથી હકાલપટ્ટી કરવામાં આવી શકે છે: સૂત્ર

ram-jethmalani
નવી દિલ્હી, 7 મે: વરિષ્ઠ વકીલ અને ભારતીય જનતા પાર્ટીના નેતા રામ જેઠમલાણીને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રામ જેઠમલાણીની હકાલપટ્ટી મુદ્દે મંગળવારે નિર્ણય કરવામાં આવી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર લાલકૃષ્ણ અડવાણીના ઘરે ભાજપ સંસદીય બોર્ડની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે. રામ જેઠમલાણી પોતાની પાર્ટી નેતૃત્વના વિરૂદ્ધ પહેલાં પણ નારાજગી વ્યક્ત કરી ચૂક્યાં છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદને લઇને તેના સમર્થનમાં રામ જેઠમલાણી ઘણા સ્પષ્ટવક્તા છે. અને ત્યારબાદ વિરૂદ્ધ સીબીઆઇ નિર્દેશક રંજીત સિન્હાની નિયુક્તિના મુદ્દે નિવેદન આપી રામ જેઠમલાણી પોતાની જ પાર્ટી માટે મુશ્કેલી બની ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 25 નવેમ્બરના રોજ રામ જેઠમલાણીને પાર્ટીમાં સસ્પેંડ કરી દિધા હતા. રામ જેઠમલાણીના નિવેદન બાદ તેમને સસ્પેંડ કરવામાં આવ્યાં હતા. જેમાં તેમને કહ્યું હતું કે સીબીઆઇ નિર્દેશકની નિયુક્તિને ઉચિત ગણાવી હતી. આ ઉપરાંત તેમને પાર્ટી નેતૃત્વને કાર્યવાહી કરવાનો પડકાર ફેંક્યો હતો.

જો કે રામ જેઠમલાણીએ સીબીઆઇ નિર્દેશક રંજીત સિન્હાની નિયુક્તિની ટીકા કરવા બદલ પોતાની જ પાર્ટી પર પ્રહાર કર્યા હતા. આ વરિષ્ઠ વકિલે પૂર્તિ સમૂહમાં નાણાંકિય અનિયમિતતાના કેસ પ્રકાશ આવ્યા બાદ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરી પર પણ નિશાન તાક્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X