રામ જેઠમલાણીની ભાજપમાંથી હકાલપટ્ટી કરવામાં આવી શકે છે: સૂત્ર
સૂત્રોના જણાવ્યા અનુસાર લાલકૃષ્ણ અડવાણીના ઘરે ભાજપ સંસદીય બોર્ડની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે. રામ જેઠમલાણી પોતાની પાર્ટી નેતૃત્વના વિરૂદ્ધ પહેલાં પણ નારાજગી વ્યક્ત કરી ચૂક્યાં છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદને લઇને તેના સમર્થનમાં રામ જેઠમલાણી ઘણા સ્પષ્ટવક્તા છે. અને ત્યારબાદ વિરૂદ્ધ સીબીઆઇ નિર્દેશક રંજીત સિન્હાની નિયુક્તિના મુદ્દે નિવેદન આપી રામ જેઠમલાણી પોતાની જ પાર્ટી માટે મુશ્કેલી બની ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 25 નવેમ્બરના રોજ રામ જેઠમલાણીને પાર્ટીમાં સસ્પેંડ કરી દિધા હતા. રામ જેઠમલાણીના નિવેદન બાદ તેમને સસ્પેંડ કરવામાં આવ્યાં હતા. જેમાં તેમને કહ્યું હતું કે સીબીઆઇ નિર્દેશકની નિયુક્તિને ઉચિત ગણાવી હતી. આ ઉપરાંત તેમને પાર્ટી નેતૃત્વને કાર્યવાહી કરવાનો પડકાર ફેંક્યો હતો.
જો કે રામ જેઠમલાણીએ સીબીઆઇ નિર્દેશક રંજીત સિન્હાની નિયુક્તિની ટીકા કરવા બદલ પોતાની જ પાર્ટી પર પ્રહાર કર્યા હતા. આ વરિષ્ઠ વકિલે પૂર્તિ સમૂહમાં નાણાંકિય અનિયમિતતાના કેસ પ્રકાશ આવ્યા બાદ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરી પર પણ નિશાન તાક્યું હતું.