Ram Mandir Ayodhya: પહેલા દિવસે 5 લાખ લોકોએ કર્યા રામ લલ્લાના દર્શન, આજે પણ લાખો છે લાઈનમાં
Ram Mandir Ayodhya: 22 જાન્યુઆરીના રોજ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યાધામમાં આસ્થાનુ ઘોડાપૂર આવ્યુ છે. મંગળવારથી અત્યાર સુધીમાં 5 લાખ લોકોએ ભગવાન રામના દર્શન કર્યા છે, જ્યારે 3 લાખ ભક્તો હજુ પણ દર્શન માટે કતારમાં ઉભા છે.
ભક્તોના પ્રેમ પર ઠંડી કે ધૂમ્મસની કોઈ અસર દેખાતી નથી, ચારેબાજુ માત્ર 'જય શ્રી રામ'નો ઉદઘોષ છે. રાત્રે 3 વાગ્યાથી ભક્તો લાઈનોમાં ઉભા છે, મંગળવારે પણ આવી જ સ્થિતિ હતી અને ભારે ભીડને જોતા મંદિર પ્રશાસને થોડા સમય માટે દર્શન અટકાવવા પડ્યા હતા.

યુપી સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મંગળવાર બપોર સુધીમાં 2.5 લાખ લોકોએ રામલલ્લાના દર્શન કર્યા હતા અને સાંજે દરવાજા બંધ થયા ત્યાં સુધીમાં પાંચ લાખ લોકોએ રામલલાના દર્શન કર્યા હતા.
હાલમાં અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે રામ ભક્તો તેમના ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા છે. શ્રદ્ધાળુઓના ધસારાને જોઈને અયોધ્યા ટ્રાફિક પોલીસે ઘણી જગ્યાએ ડાયવર્ઝન બનાવ્યા છે. મંગળવારે જ્યારે ભારે ભીડ વધી હતી ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એટીએસ કમાન્ડો પણ અંદર પહોંચી ગયા હતા.
નોંધનીય છે કે 22 જાન્યુઆરી 2024નો દિવસ એકદમ અલૌકિક હતો. આ કાર્યક્રમમાં પીએમ મોદી મુખ્ય યજમાન તરીકે હાજર રહ્યા હતા. તેમણે જનતાને સંબોધતા કહ્યું કે 'રામ દરેકના છે પરંતુ હવે તે તંબુમાં નહીં રહે પરંતુ મંદિરમાં રહેશે.' તેમણે કહ્યું હતું કે 'રામ અગ્નિ નથી પણ ઉર્જા છે, રામ આપણા નથી, રામ આપણા સહુના છે, રામ માત્ર વર્તમાન જ નથી પણ શાશ્વત છે અને રામ વિવાદ નથી પણ સમાધાન છે.'
આ પછી, મંગળવારે તેમણે તેમના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો ટ્વીટ કર્યો, જેમાં તેમણે લખ્યું, 'ગઈકાલે એટલે કે 22 જાન્યુઆરીએ આપણે અયોધ્યામાં જે જોયું, તે આવનારા વર્ષો સુધી આપણી યાદોમાં અંકિત રહેશે, તે એક ઐતિહાસિક ભાવનાત્મક ક્ષણ હતી, જેને કોઈ ભૂલી શકશે નહીં.'
What we saw in Ayodhya yesterday, 22nd January, will be etched in our memories for years to come. pic.twitter.com/8SXnFGnyWg
— Narendra Modi (@narendramodi) January 23, 2024
-
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
