Ram Mandir Ayodhya: પહેલા દિવસે 5 લાખ લોકોએ કર્યા રામ લલ્લાના દર્શન, આજે પણ લાખો છે લાઈનમાં
Ram Mandir Ayodhya: 22 જાન્યુઆરીના રોજ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યાધામમાં આસ્થાનુ ઘોડાપૂર આવ્યુ છે. મંગળવારથી અત્યાર સુધીમાં 5 લાખ લોકોએ ભગવાન રામના દર્શન કર્યા છે, જ્યારે 3 લાખ ભક્તો હજુ પણ દર્શન માટે કતારમાં ઉભા છે.
ભક્તોના પ્રેમ પર ઠંડી કે ધૂમ્મસની કોઈ અસર દેખાતી નથી, ચારેબાજુ માત્ર 'જય શ્રી રામ'નો ઉદઘોષ છે. રાત્રે 3 વાગ્યાથી ભક્તો લાઈનોમાં ઉભા છે, મંગળવારે પણ આવી જ સ્થિતિ હતી અને ભારે ભીડને જોતા મંદિર પ્રશાસને થોડા સમય માટે દર્શન અટકાવવા પડ્યા હતા.

યુપી સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મંગળવાર બપોર સુધીમાં 2.5 લાખ લોકોએ રામલલ્લાના દર્શન કર્યા હતા અને સાંજે દરવાજા બંધ થયા ત્યાં સુધીમાં પાંચ લાખ લોકોએ રામલલાના દર્શન કર્યા હતા.
હાલમાં અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે રામ ભક્તો તેમના ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા છે. શ્રદ્ધાળુઓના ધસારાને જોઈને અયોધ્યા ટ્રાફિક પોલીસે ઘણી જગ્યાએ ડાયવર્ઝન બનાવ્યા છે. મંગળવારે જ્યારે ભારે ભીડ વધી હતી ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એટીએસ કમાન્ડો પણ અંદર પહોંચી ગયા હતા.
નોંધનીય છે કે 22 જાન્યુઆરી 2024નો દિવસ એકદમ અલૌકિક હતો. આ કાર્યક્રમમાં પીએમ મોદી મુખ્ય યજમાન તરીકે હાજર રહ્યા હતા. તેમણે જનતાને સંબોધતા કહ્યું કે 'રામ દરેકના છે પરંતુ હવે તે તંબુમાં નહીં રહે પરંતુ મંદિરમાં રહેશે.' તેમણે કહ્યું હતું કે 'રામ અગ્નિ નથી પણ ઉર્જા છે, રામ આપણા નથી, રામ આપણા સહુના છે, રામ માત્ર વર્તમાન જ નથી પણ શાશ્વત છે અને રામ વિવાદ નથી પણ સમાધાન છે.'
આ પછી, મંગળવારે તેમણે તેમના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો ટ્વીટ કર્યો, જેમાં તેમણે લખ્યું, 'ગઈકાલે એટલે કે 22 જાન્યુઆરીએ આપણે અયોધ્યામાં જે જોયું, તે આવનારા વર્ષો સુધી આપણી યાદોમાં અંકિત રહેશે, તે એક ઐતિહાસિક ભાવનાત્મક ક્ષણ હતી, જેને કોઈ ભૂલી શકશે નહીં.'
What we saw in Ayodhya yesterday, 22nd January, will be etched in our memories for years to come. pic.twitter.com/8SXnFGnyWg
— Narendra Modi (@narendramodi) January 23, 2024
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
