વિવિધ રાજ્યોમાંથી આવેલી આ વસ્તુઓમાંથી બની રહ્યું છે રામ મંદિર
રામ મંદિર બનીને તૈયાર થઈ ગયુ છે અને 22 જાન્યુઆરીએ તેનું ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભગવાન રામના મંદિરમાં વિવિધ રાજ્યો અને દેશોમાંથી આવેલી કેટલીક ખાસ વસ્તુઓ વપરાઈ રહી છે.
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં ગુલાબી પથ્થરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સાથે મંદિર પરિસરમાં બનાવવામાં આવનાર મ્યુઝિયમ, સંશોધન કેન્દ્ર, ગૌશાળા અને યજ્ઞશાળા વગેરેની તૈયારી કરવામાં આવી રહી છે.

જાણકારો અનુસાર, આ પથ્થર રાજસ્થાનના બંશી પહારપુરથી લાવવામાં આવ્યો છે. મંદિર સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે બંશી પહાડપુરમાંથી ચાર લાખ ઘનફૂટ પથ્થરની ખરીદી કરવામાં આવી છે.
આ સિવાય મંદિરની દીવાલ જોધપુર પથ્થરની બનાવવામાં આવશે. આ ઉપરાંત મંદિરના નિર્માણમાં રાજસ્થાનના માર્બલનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
કર્ણાટકના કકરાલાથી એક વિશાળ શિલા અયોધ્યા મોકલવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પથ્થરનો ઉપયોગ ભગવાન રામની પ્રતિમા બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આ પથ્થર તુંગભદ્રા નદીના કિનારેથી લેવામાં આવ્યો છે.
અયોધ્યામાં ભગવાન રામ અને માતા જાનકીની મૂર્તિઓના નિર્માણ માટે નેપાળથી શાલિગ્રામ પથ્થરો મંગાવવામાં આવ્યા છે. 31 ટન અને 15 ટનના આ બે પથ્થરો પર ઘણું કામ કરવામાં આવ્યું છે. આ પત્થરો નેપાળની ગંડકી નદીના કિનારેથી કાઢવામાં આવ્યા છે. હિન્દુ માન્યતાઅનુસાર, શાલિગ્રામ પથ્થરને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે.
રામ મંદિરના દરવાજાની ફ્રેમ આરસની બનેલી છે, જ્યારે દરવાજા સાગના લાકડાના બનેલા છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રથી સાગના લાકડાની આયાત કરવામાં આવી છે. આ દરવાજાઓ પર કોતરણીનું કામ પણ કરવામાં આવી રહ્યું છે.
રામ મંદિરને મજબૂત કરવા માટે આધારને ગ્રેનાઈટથી બનાવવામાં આવ્યો છે. તેમાં 17 હજાર ગ્રેનાઈટ સ્ટોન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરેક પથ્થરનું વજન લગભગ બે ટન છે. મંદિરમાં ઉપયોગમાં લેવાતી ઇંટો દેશભરના લગભગ પાંચ લાખ ગામડાઓમાંથી આવી છે.












Click it and Unblock the Notifications
