For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBI કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારશે રામ રહીમ

સીબીઆઇ કોર્ટની સજા વિરુદ્ધ રામ રહીમે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં અરજી કરી છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

બે સાધ્વીઓ પર બળાત્કારના મામલે સીબીઆઇ અદાલત દ્વારા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સજા વિરુદ્ધ રામ રહીમે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં અપીલ કરી છે. સીબીઆઈની પંચકૂલા અદાલતે ગત મહિને જ રામ રહીમને સાજ સંભળાવી હતી, હાલ તે રોહતક જેલમાં બંધ છે. આ મામલાની સુનવણીમાં 25 ઓગસ્ટના રોજ રામ રહીમને દોષી ઠરાવવામાં આવ્યો હતો.

ram rahim

બળાત્કારના બે મામલામાં ગુરમીત રામ રહીમને 10-10 વર્ષની સજા થઇ છે. આ મામલે ડેરા તરફથી સતત એમ જ કહેવાઇ રહ્યું છે કે, ગુરમીત રામ રહીમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. બળાત્કાર સિવાય રામ રહીમ પર ડેરાના સાધુઓની હત્યાના ગંભીર આરોપો પણ છે. આ બધા વચ્ચે રામ રહીમ અને હનીપ્રીતના સંબંધો અંગે પણ અનેક ખુલાસા થઇ રહ્યા છે. રામ રહીમને સજા સંભળાવવામાં એ પછી હરિયાણામાં હિસા ફાટી નીકળી હતી, જેમાં 39 લોકો મૃત્યુ પામ્યા હતા. આ કારણે હરિયાણા અને પંજાબના કેટલાક શહેરોમાં કરફ્યુ પણ લાગુ કરવામાં આવ્યો હતો.

English summary
Ram Rahim Singh appeals in Punjab and Haryana High Court against verdict of Panchkula Special CBI Court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X