2014માં રામ મંદિરને સમર્થન નહોતું આપ્યું, હવે બની રહ્યા છે 'ચુનાવી હિંદુ'
કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું હતું, "આજે આખો દેશ રામ મંદિરના નિર્માણને લઈને ખુશ અને ઉત્સાહિત છે. હું પોતે શ્રી રામ જન્મભૂમિનો સૈનિક રહ્યો છું અને કાર સેવક રહ્યો છું."
અયોધ્યા : ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા કેશવ પ્રસાદ મૌર્યએ બુધવારે (03 ઓક્ટોબર) વિરોધ પક્ષો પર પ્રહાર કરતાં કહ્યું કે, રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા અન્ય પક્ષોના નેતાઓ "ચુનાવી હિંદુ" બની રહ્યા છે.
કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, "જે પણ રામ લલ્લાના દર્શન કરવા આવી રહ્યા છે, અમે તેમને આવતા રોકી રહ્યા નથી, ન તો અમે એવું કહી રહ્યા છીએ કે તેમણે ન આવવું જોઈએ, પરંતુ રામ મંદિરના નિર્માણને સમર્થન આપવા માટે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે પહેલા કોઈ પણ પાર્ટી આવી ન હતી. આવા સમયે તેઓએ તેનો વિરોધ કર્યો હતો. તેઓએ ક્યારેય કાર સેવકોને મદદ કરી ન હતી અને આજે દરેક ચુનાવી હિંદુ બની રહ્યા છે.
કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું હતું, "આજે આખો દેશ રામ મંદિરના નિર્માણને લઈને ખુશ અને ઉત્સાહિત છે. હું પોતે શ્રી રામ જન્મભૂમિનો સૈનિક રહ્યો છું અને કાર સેવક રહ્યો છું." ભાજપના નેતા કેશવ પ્રસાદ મૌર્યના નિવેદન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગયા મહિને અયોધ્યાની મુલાકાતની પૃષ્ઠભૂમિમાં આવી છે, જ્યાં તેમણે રામ જન્મભૂમિ સ્થળ પર પ્રાર્થના કરી હતી અને હનુમાન ગઢી મંદિરની મુલાકાત લીધી હતી.
કેશવ પ્રસાદ મૌર્યનો દાવો, UP વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 300થી વધુ બેઠકો જીતશે
સમાજવાદી પાર્ટીના ફેસબુક હેન્ડલ પર કેશવ પ્રસાદ મૌર્યનો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં કેશવ પ્રસાદ મૌર્ય એક પત્રકારને તેના માર્ગ પરથી હટાવતા જોવા મળે છે. કારણ કે, પત્રકારે કોમર્શિયલ સિલિન્ડરની વધેલી કિંમતો વિશે પ્રશ્ન પૂછ્યો હતો. આ સવાલ પર કેશવ પ્રસાદ મૌર્ય ગુસ્સે થયા હતા અને તેઓ આ પ્રશ્નનો જવાબ આપવા માંગતા ન હતા. તેથી તે પત્રકારને તેના માર્ગ પરથી હટાવીને જવાબ આપ્યા વગર જ ચાલ્યા ગયા હતા. વિપક્ષી નેતાઓએ આ વીડિયો શેર કરીને કેશવ પ્રસાદ મૌર્યની ટીકા કરી હતી.