રામવિલાસ પાસવાનને મરણોત્તર પદ્મ ભૂષણ, બિહારની પાંચ વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર મળ્યો
ચાલુ વર્ષે 2021માં સમગ્ર દેશમાંથી 119 હસ્તીઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. લોક જનશક્તિ પાર્ટીના દિવંગત નેતા રામવિલાસ પાસવાનને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ચાલુ વર્ષે 2021માં સમગ્ર દેશમાંથી 119 હસ્તીઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. લોક જનશક્તિ પાર્ટીના દિવંગત નેતા રામવિલાસ પાસવાનને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રામવિલાસ પાસવાનને આ સન્માન મરણોત્તર આપવામાં આવ્યું છે.

ગત વર્ષ 2020માં કોરોના સંક્રમણને કારણે આ કાર્યક્રમનું આયોજન થઈ શક્યું ન હતું
કોરોના મહામારી સમયગાળા બાદ આ વર્ષે 2021માં પદ્મ પુરસ્કારો આપવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રપતિ ભવન ખાતે કરવામાં આવ્યું છે. જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ એવોર્ડ આપવામાં આવી રહ્યા છે. જ્યાં સૌનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે સોમવારના રોજ સવારે 11 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રગીત સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખીય છે કે, ગત વર્ષ 2020માં કોરોના સંક્રમણને કારણે આ કાર્યક્રમનું આયોજન થઈ શક્યું ન હતું.
બિહારના નેતા અને કેન્દ્ર સરકારમાં ઘણી વખત મંત્રી રહી ચૂકેલા રામવિલાસ પાસવાનને આ વખતે પદ્મ ભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો છે. એલજેપીના સ્થાપકને આ સન્માન મરણોત્તર આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવન ખાતે આ સન્માન આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રામવિલાસ પાસવાનનું વર્ષ 2020માં નિધન થયું હતું. બિહારથી લઈને કેન્દ્ર સુધી તેમના રાજકીય ટોણા ક્યારેક બોલ્યા હતા. તેઓ દલિતોના મહાન નેતા ગણાતા હતા. તેમના મૃત્યુ બાદથી જ તેમને ભારતરત્ન આપવાની માગ કરવામાં આવી રહી છે.
મૃદુલા સિન્હાને મરણોત્તર પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા
પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનને જાહેર સેવાના ક્ષેત્રમાં તેમના વિશેષ યોગદાન માટે મરણોત્તર આ સન્માન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ વખતે બિહારની પાંચ હસ્તીઓને પદ્મ સન્માન માટે પસંદ કરવામાં આવી હતી. જેમાં એલજેપીના સ્થાપક તેમજ ગોવાના પૂર્વ ગવર્નર મૃદુલા સિંહા પણ શામેલ છે. મૃદુલા સિન્હાને મરણોત્તર પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારો માટે પસંદ કરાયેલા નામોની જાહેરાત કરવામાં આવી હતી. બિહારમાંથી કલા ક્ષેત્રે દુલારી દેવી અને રામચંદ્ર માંઝી, જ્યારે ડો. દિલીપ કુમાર સિંહને ચિકિત્સા ક્ષેત્રે પ્રશંસનીય કાર્ય માટે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં દેશભરમાંથી કુલ 119 હસ્તીઓને આ સન્માન આપવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
