શું રામદેવ સાથે પોતાના સંબંધ મધુર બનાવી રહી છે કોંગ્રેસ?
નવી દિલ્હી, 23 ઓક્ટોબર: શું રામદેવ સાથે પોતાના સંબંધ મધુર કરી રહી છે કોંગ્રેસ? શું હરીશ રાવતના સહારે હવે 10 જનપથ પર રામદેવ પોતાની પકડ બનાવી રહ્યાં છે? આ કેટલાક પ્રશ્નો છે જે ગઇકાલે ઉત્તરાખંડમાં રામદેવ અને કોંગ્રેસ વચ્ચે સર્જાયેલા ઘટનાક્રમ બાદ ઉઠી રહ્યાં છે.
કોંગ્રેસ વિરૂદ્ધ હંમેશાથી ઝેર ઓકનાર રામદેવ હવે કોંગ્રેસને માફ કરી ચૂક્યાં છે. બાબા રામદેવનું કહેવું છે કે તે પોતાની જૂની વાતોને યાદ કરવા માંગતા નથી અને તે અને હરીશ રાવતના આગ્રહ પર કેદારનાથ આવ્યા રામદેવ હવે હરીશ રાવતની પણ જોરદાર પ્રશંસા કરી રહ્યાં છે.
આજે યોગ ગુરૂ સ્વામે રામદેવ ઉત્તરાખંડની કોંગ્રેસ સરકારના વિશેષ મહેમાન બન્યા. રીતસર સરકારના કામોની ગતિ જોવા માટે રામદેવ કેદાર ઘાટીના ભ્રમણ માટે વિશેષ 3 હેલિકોપ્ટર મોકલ્યા. કેદારનાથ થી પરત ફરેલા બાબા રામદેવે કહ્યું હતું કે એક સમય હતો જ્યારે અમે રાષ્ટ્ર માટે કામ કર્યું પરંતુ હવે બધાને સાથે ચલાવું પડશે. એનો અર્થ સ્પષ્ટ છે કે રામદેવ અને કોંગ્રેસ વચ્ચે કંઇક તો ચાલી રહ્યું છે.

રામદેવે ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરીશ રાવતના કામોની જોરદાર પ્રશંસા કરી. રામદેવને લાગે છે કે હરીશ રાવતની અંદર કેટલીક વિશેષ યોગ્યતા છે. બાબા રામદેવે દેશની જનતાને કહ્યું કે તે હરીશ રાવત પર વિશ્વાસ કરીને હવે સુરક્ષિત ઉત્તરાખંડમાં આવી શકે છે.
બાબા રામદેવે કોંગ્રેસની પ્રશંસા કરી તો કોંગ્રેસ દ્વારા પણ બાબા રામદેવને માન-સન્માન આપવામાં મોડું કર્યું નહી. ઉત્તરાખંડ સરકારમાં મુખ્યમંત્રીના સલાહકાર રંજીત રાવતે કહ્યું કે બાબા રામદેવ ભારતીય સંસ્કૃતિના બ્રાંડએમ્બેસેડર છે અને આ યાત્રાથી જો રામદેવ અને કોંગ્રેસના સંબંધ મધુર થાય છે તો કોઇને પણ પરેશાની ન હોવી જોઇએ.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
