Ratan Tata Health : રતન ટાટાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા, જાણો શું છે સમસ્યા?
Ratan Tata Health Update News : ભારતના અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટાને હોસ્પિટલ ખસેડાયા હોવાના અહેવાલ છે. તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.
અહેવાલો અનુસાર, ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટાની હાલત ગંભીર છે અને તેમને મુંબઈની એક હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હજુ સુધી તેમના પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યુ નથી.

7 ઓક્ટોબરે રતન ટાટાએ તેમનું રૂટિન મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. આ દરમિયાન તેમની તબિયત ક્રિટીકલ હોવાના સમાચારો વહેતા થયા હતા.
આ સમાચારો બાદ રતન ટાટાએ ઇન્સ્ટાગ્રામ પર એક નિવેદન જારી કરીને કહ્યું કે, હું મારા સ્વાસ્થ્ય વિશે ફેલાયેલી અફવાઓથી વાકેફ છું અને દરેકને ખાતરી આપવા માંગુ છું કે આ દાવા પાયાવિહોણા છે. મારી ઉંમર અને સંબંધિત તબીબી પરિસ્થિતિઓને કારણે હું માત્ર નિયમિત ચેકઅપ કરાવી રહ્યો છું.
જણાવી દઈએ કે, રતન ટાટા ભારતના સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ છે. તેમના નેતૃત્વમાં ટાટા ગ્રુપે ઘણી મહત્વની સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમને 2000માં પદ્મ ભૂષણ અને 2008માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે.
રતન ટાટાએ કોર્નેલ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચરમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને 1991માં જેઆરડી ટાટાના અનુગામી ટાટા સન્સના ચેરમેન બન્યા હતા.
રતન ટાટા તેમના સરળ વ્યક્તિત્વ અને સાદા જીવન માટે જાણીતા છે. પુરૂ લાઈફ અપરિણિત રહેલા રતન ટાટાને થોડા જ નજીકના સંબંધીઓ છે. તેમના પિતા નવલ ટાટા અને માતા સુનુ ટાટાએ 10 વર્ષના હતા ત્યારે જ છૂટાછેડા લીધા હતા.
તેમની સાવકી માતા સિમોન ટાટા છે, જેમણે ટાટા ગ્રુપ સાથે સક્રિય રીતે કામ કર્યું છે. તેમના સાવકા ભાઈ નોએલ ટાટા પણ પરિવારના નજીકના સભ્ય છે અને તેમણે ટાટા જૂથમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ પણ ભજવી છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
