Ratan Tata Death: ભારતના અનમોલ 'રતન' ટાટાનું નિધન, 86 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
Ratan tata death news in gujarati: ટાટા ગ્રુપના ચેરમેન અને દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ 86 વર્ષની ઉંમરે અલવિદા કહી દીધું છે. લાંબા સમયથી રતન ટાટા બીમાર હતા અને મુંબઈની બ્રીજ કેંડી હોસ્પિટલમાં તેઓ ICUમાં દાખલ હતા. બુધવારે મોડી રાતે 10 વાગ્યાની આસપાસ તેમના નિધનના સમાચાર મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે વધતી ઉંમરને કારણે રતન ટાટાને અનેક સમસ્યાઓ હતી. બુધવારની સાંજે રતન ટાટાની તબિયત લથડી હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જેના થોડા ક્ષણ પછી જ તેમણે દુનિયાને અલવિદા કહી દીધી. રતન ટાટાનું જવું દેશ માટે મોટું નુકસાન છે.
પદ્મ વિભૂષણથી સન્માનિત થયા હતા રતન ટાટા (Padma Vibhushan Ratan Tata)
રતન ટાટા ઈ.સ. 1991માં ટાટા ગ્રુપના ચેરમેન બન્યા હતા અને પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નહોતું. ભારતના સૌથી સમ્માનિત ઉદ્યોગપતિઓમાં રતન ટાટાનું નામ સામેલ છે. ટાટા ગ્રુપે તેમના નેતૃત્વમાં અનેક ઉપલબ્ધિઓ મેળવી હતી. 2000માં તેમને પદ્મ ભૂષણ અને 2008માં તેમને ભારતના સૌથી મોટા નાગરિક સમ્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજનેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું
રક્ષા મંત્રી રાજનાથ સિંહે એક્સ પર લખ્યું કે રતન ટાટાના નિધનથી દુખી છું. તેઓ ભારતના દિગ્ગજ હતા, જેમને આપણી અર્થવ્યવસ્થા, વેપાર અને ઉદ્યોગમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે ઓળખવામાં આવે છે. તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના છે. તેમને આત્માને શાંતિ મળે.
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિંદ્રાએ પણ એક્સ પર લખ્યું કે, રતન ટાટાની ગેરહાજરી હું સ્વીકારી નથી શકતો. ભારતની અર્થવ્યવસ્થા ઐતિહાસિક છલાંગ લગાવવાની તૈયારીમાં છે અને આપણે આ સ્થિતિમાં હોવા પાછળ રતન ટાટાના જીવન અને કાર્યનું મોટું યોગદાન છે. માટે આ સમયે તેમનું માર્ગદર્શન વધુ અમૂલ્ય હોત. તેમના ગયા પછી આપણે બસ એટલું કરી શકીએ કે તેમના ઉદાહરણને અુકરણ કરવા માટે પ્રતિબદ્ધ રહીએ.
કેમ કે તેઓ એક એવા ઉદ્યોગપતિ હતા જેમના માટે નાણાકીય સંપત્તિ અને સફળતા સૌથી ઉપયોગી ત્યારે હતી જ્યારે તેને વૈશ્વિક સમુદાયની સેવામાં લગાવવામાં આવતા હતા. અલવિદા અને ભગવાનની કૃપા થાય. તમે ભૂલાશો નહીં. ઓમ શાંતિ ઓમ.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
