Republic Day 2020: ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિની પસંદગી કઈ રીતે કરે છે ભારત, જાણો
Republic Day 2020: ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિની પસંદગી કઈ રીતે કરે છે ભારત, જાણો
નવી દિલ્હીઃ દેશભરમા ગણતંત્ર દિવસ સમારોહની તૈયારી જોરશોરથી ચાલી રહી છે, 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું સંવિધાન આખા દેશમાં લાગૂ થઈ ગયું હતું, ાટે આ દિવસ ગણતંત્ર દિવસના રૂપમાં મનાવવામાં આવે છે, આ માત્ર એક પર્વ જ નહિ બલકે આપણો ગૌરવ અને સન્માનનું પ્રતિક છે, આ વખતે આપણા ગણતંત્ર દિવસની પરેડને જોવા માટે બ્રાઝીલના 38મા પ્રેસિડેન્ટ જેયર બોલ્સોનારોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
કેવી રીતે થાય છે ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિની પસંદગી
ભારત માટે આ બહુ ખાસ દિવસ માટે અતિથિની પસંદગી સહેલી હોતી નથી, આના માટે એક લાંબી જટીલ પ્રક્રિયા હોય છે, ગણતંત્ર દિવસના મુખઅય અતિથિને લઈ ફેસલો ભારતના રાજનાયિક હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. વિદેશ મંત્રાલય આના પર કામ કરે છે, તેઓ ભારત અને તેની નજીક દેશ વચ્ચે સંબંધોને ધ્યાનમાં રાખી કેટલાય પહેલુઓ પર વિચાર કરે છે, પછી તે અતિથિ વિશે નિર્ણય લે છે અને પીએમની મંજૂરી લે છે.
રાષ્ટ્રપતિ ભવનથી મંજૂરી લેવાની હોય છે
પીએમની પરમિશન બાદ તેને રાષ્ટ્રપતિ ભવનથી મંજૂરી લેવાની હોય છે, જ્યાંથી લીલી ઝંડી મળ્યા બાદ મુખ્ય અતિથિનું નામ ફાઈનલ થાય છે, જે બાદ ભારતના રાજદૂત અતિથિની ઉપલબ્ધતાનો પતો લગાવવાની કોશિશ કરે ચે અને તે બાદ વિદેશ મંત્રાલય તરફથી વાતચીત શરૂ થાય છે અને અતિથિ માટે નિમંત્રણ મોકલવામાં આવે છે.
ખાસ વાતો
- 26 જાન્યુઆરી 1950ના રોજ આપણું સંવિધાન લાગૂ થયું હતું.
- ભારતનું સંવિધાન એક લેખિત સંવિધાન ચે. આ દિવસે ભારતના પ્રેસિડેન્ટ ઝંડો ફરકાવે છે.
- 395 અનુચ્છેદો અને 8 અનુસૂચિઓની સાથે ભારતીય સંવિધાન દુનિયમાં સૌથી મોટું લેખિત સંવિધાન છે. ગણતંત્ર દિવસના મોકા પર અશોક ચક્ર અને કીર્તિ ચક્ર જેવા મહત્વપૂર્ણ સન્માન આપવામાં આવે છે.
- જે બાદ આપણી સેના શક્તિ પ્રદર્શન અને પરેડ માર્ચ કરે છે. ભારતીય સંવિધાનને બનાવવામાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો.