Video: સોનિયાના જમાઇ વાડ્રાની મીડિયા સાથે ગેરવર્તણૂક
નવી દિલ્હી, 2 નવેમ્બરઃ અત્યારસુધી માત્ર કોંગ્રેસના નેતાઓનો મૂડ ત્યારે ખરાબ થતો હતો જ્યારે યુપીએ સુપ્રીમો સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રા અંગે પ્રશ્ન પૂછવામાં આવતો હતો, પરંતુ આ વખતે ‘જમાઇ રાજા' પોતે જ મીડિયા પર ગુસ્સે ભરાયા હતા.

જોકે થોડીકવારમાં વાડ્રાએ આ મામલે સ્પષ્તા કરતા કહ્યું કે, મને માલુમ નહોતું કે તે એએનઆઇના પત્રકાર છે. મને લાગ્યું કે કોઇ ખાનગી કેમેરામેન આ પ્રકારના પ્રશ્ન કરી રહ્યો છે. નોંધનીય છેકે ગયા વર્ષે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ અને વરિષ્ઠ અધિકારી અશોક ખેમકાએ રોબર્ડ વાડ્રા પર હરિયાણામાં જમીન કૌભાંડના ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ ભાજપ સતત વાડ્રાની જમીન ડીલની તપાસની માંગ કરી રહ્યું છે.
હરિયાણામાં કોંગ્રેસના કારમા પરાજય બાદ ફરીથી વાડ્રાની ફાઇલ ખુલી હોવાની વાત સામે આવી રહી છે. તેથી મીડિયાએ વાડ્રાને પ્રશ્ન કર્યો હતો, જેના પર તેમણે મીડિયા સાથે ગેરવર્તણૂક કરી હતી. જોકે હરિયાણાના નવા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, આ મામલે બદલાની ભાવનાથી કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે , પરંતુ કાયદો પોતાની રીતે કામ કરશે.
<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/8pat5ktOlZE" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
