Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Breaking: ગુજરાતથી મુંબઈ જઈ રહેલી જયપુર એક્સપ્રેસમાં અંધાધૂંધ ફાયરિંગ, 4નાં મોત

ગુજરાતથી મુંબઈ જઈ રહેલી જયપુર એક્સપ્રેસ ટ્રેન()12956)માં આરપીએફના કૉન્સ્ટેબલે અંધાધુધ ફાયરિંગ કરતા ચાર લોકોના મોત નીપજ્યા છે. બી-5 કોચમાં ફાયરિંગ થતા આરપીએફના જવાન સહિત ચારના મૃત્યુ થયા છે. મૃત્યુ પામનારામાં ત્રણ મુસાફરનો પણ સમાવેશ થાય છે.

આરપીએફના બે જવાન વચ્ચે ઝઘડો થયો અને એક જવાને ફાયરિંગ કરતા બની ઘટના છે. ફાયરિંગ કરનાર આરપીએફના જવાનની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ નજીક ઘટના બની હોવાનુ જાણવા મળ્યુ છે.

firing

તમને જણાવી દઈએ કે પાલઘર સ્ટેશન પાર કર્યા બાદ આરપીએફના એક કોન્સ્ટેબલે ચાલતી જયપુર એક્સપ્રેસ ટ્રેનની અંદર ગોળીબાર કર્યો હતો. તેણે RPF ASI અને અન્ય ત્રણ મુસાફરોને ગોળી મારી દીધી અને દહિસર સ્ટેશન પાસે ટ્રેનમાંથી કૂદી પડ્યો. ફાયરિંગ કરનાર આરોપી સૈનિકને હથિયાર સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

ફાયરિંગ કરનાર આરોપી સૈનિકને હથિયાર સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ ઘટના જયપુર એક્સપ્રેસ ટ્રેન (12956)ના કોચ નંબર B5માં બની હતી. આજે સવારે 5.23 કલાકે આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. બંને આરોપી આરપીએફ જવાન અને એએસઆઈ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. અચાનક કૉન્સ્ટેબલે ASI પર ગોળીબાર કર્યો.

ગોળીનો અવાજ આવતા જ ટ્રેનમાં બેઠેલા અન્ય મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે માહિતી આપી છે કે ટ્રેન નંબર 12956 જયપુર એસમાં સવારે 5.23 કલાકે B5માં બુલેટ હોવાની માહિતી મળી હતી. માહિતી મળી હતી કે સીટી ચેતને એસ્કોર્ટ ડ્યુટી દરમિયાન એસ્કોર્ટ ઈન્ચાર્જ એએસઆઈ ટીકા રામ પર ફાયરિંગ કર્યું હતું.

એએસઆઈ ઉપરાંત ત્રણ અન્ય મુસાફરોની પણ જાનહાનિ નોંધાઈ છે. કૉન્સ્ટેબલને પકડી લેવામાં આવ્યો છે. માહિતી મુજબ ફાયરિંગ કરનાર કૉન્સ્ટેબલની માનસિક સ્થિતિ સારી નથી. આ ઘટના અંગે ડીસીપી નોર્થને પણ જાણ કરવામાં આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X