નવા સંસદ ભવનના ઉદઘાટન પર જાહેર થશે 75 રુપિયાનો વિશેષ સિક્કો, અહીં જાણો તેની ખાસિયત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના નવા સંસદ ભવનનુ ઉદ્ઘાટન 28 મેના રોજ કરશે. આ ઇમારત ઘણી રીતે ખાસ છે. હવે નાણા મંત્રાલયે જાહેરાત કરી છે કે તે સંસદ ભવનના ઉદ્ઘાટનના ઉપલક્ષ્યમાં રૂ. 75નો વિશેષ સિક્કો જાહેર કરશે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, સિક્કા પર નવી ઇમારતની છબી સાથે 'સંસદ સંકુલ' શિલાલેખ હશે. તે 44 મિલીમીટરનો વ્યાસ ધરાવતો હશે, જ્યારે કિનારીઓ સાથે 200 સીરેશન્સ સાથે આકારમાં ગોળાકાર હશે.

આ સિક્કો બનાવવા માટે 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ, 5 ટકા નિકલ અને 5 ટકા જસતનો ઉપયોગ કરવામાં આવશે. સિક્કાની પાછળની બાજુએ મધ્યમાં અશોક સ્તંભનો સિંહ હશે, જેની નીચે 'સત્યમેવ જયતે' લખેલું હશે. આ સિવાય સિક્કાની ડાબી બાજુએ હિન્દીમાં 'ભારત' અને અંગ્રેજીમાં 'ઈન્ડિયા' લખવામાં આવશે.
વળી, ઉપરના પરિઘમાં 'સંસદ ભવન' હિન્દીમાં અને નીચલા પરિઘમાં અંગ્રેજીમાં લખવામાં આવશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, સિક્કાની ડિઝાઇન બંધારણની પ્રથમ સૂચિમાં ઉલ્લેખિત માર્ગદર્શિકા અનુસાર હશે.
એપ્રિલમાં બહાર પાડવામાં આવ્યો હતો ખાસ સિક્કો
આ પહેલા ભારત સરકારે એપ્રિલમાં 100 રૂપિયાનો ખાસ સિક્કો બહાર પાડ્યો હતો. આ સિક્કો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 100 એપિસોડ પૂરા થયાની યાદમાં બનાવવામાં આવ્યો હતો. તે સિક્કાનો વ્યાસ પણ 44 mm હતો, તેના પર માઇક્રોફોન બનાવવામાં આવ્યો હતો. તેના પર ધ્વનિ તરંગોની ડિઝાઇન પણ હતી.
વિરોધ વચ્ચે થશે ઉદઘાટન
તમને જણાવી દઈએ કે નવા સંસદ ભવનનું નિર્માણ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. જો કે વિરોધ પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે રાષ્ટ્રપતિએ નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવું જોઈએ. જો તેઓ ન કરે તો લોકસભાના સ્પીકર અથવા રાજ્યસભાના સ્પીકરે તે કરવું જોઈએ. તેના વિરોધમાં તમામ વિરોધ પક્ષોએ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.












Click it and Unblock the Notifications
