મણીપુર હિંસા સમાપ્ત કરવા માટે RSS નું આહ્વાન, કહ્યુ વાતચીત જ એક માત્ર વિકલ્પ
મણીપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘે હિસાને સમાપ્ત કરવાના માટે વાતચીતનું આહ્વાન કર્યુ છે. સંઘ તરફથી કહેવામાં આવ્યુ છે કે, અલોકતાંત્રિક વ્યવસ્થામાં કોઇ પણ પ્રકારની વ્યવસ્થા હિસા અન નફરતની જગ્યા ના હોઇ શકે.

સંઘે કહ્યુ કે, કેન્દ્ર સરકાર અને કાયદાને લાગુ કરનાર સંસ્થાઓએ તાત્કાલ શાંતિ સ્થાપિત કરવા માટે હર સંભવ પગલુ લેવુ જોઇએ.
સંઘના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેે મણીપુરમાં ચાલી રહેલી હિસાને પીડાદાયક અને ચિંતાજનક ગણાવી છે. તેમણે કહ્યુ કે, સંઘનું માનવુ છે કે દરેક સસ્યાનું સમાધાન શાંતિપૂર્મ માહોલમાં ભાઇચારા સાથે સંવાદથી થઇ શકે છે.
મણીપુરમાં હિસા શરુ થયા બાદ અત્યાર સુધીમાં 106 લોકોની મોત થઇ ચૂકી છે. જેવી રીતે કોર્ટે મેતઇ સમુદાયને એસટી કેટેગરીમાં સમાવેશ કરવા માટે કહેવામાં આવ્યા બાદ કુકી અને મૈતઇ મસુદાય વચ્ચે હિંસા શરૂ થઇ હતી.
ભારતીય જનતા પાર્ટી જે કેન્દ્રી અને રાજ્ય બંને જગ્યાએ સત્તામા છે તેના તરફથી આ તમામ મામલે મૌન ધારણ કરી લીધુ છે. આરએસએસે કહ્યુ કે, વિશ્વાસની કમીને જલ્દી દુર કરવાની જરૂર છે.












Click it and Unblock the Notifications
