લોકો ગૌમાંસ ખાવાનું છોડી દે તો લિંચિંગ જેવી ઘટનાઓ બંધ થઇ જશે: ઇન્દ્રેશ કુમાર
દેશભરમાં અલગ અલગ જગ્યાથી જેવી રીતે મોબ લિંચિંગ ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારપછી સતત નિવેદનો ચાલુ છે.
દેશભરમાં અલગ અલગ જગ્યાથી જેવી રીતે મોબ લિંચિંગ ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારપછી સતત નિવેદનો ચાલુ છે. આરએસએસ નેતા ઇન્દ્રેશ કુમાર ઘ્વારા સોમવારે જણાવવામાં આવ્યું કે મોબ લિંચિંગ જેવી ઘટનાઓ ત્યારે જ બંધ થશે જયારે ગૌમાંસ ખાવાનું છોડી દેવામાં આવે. એટલું જ નહીં પરંતુ તેમને જણાવ્યું કે સંસ્કાર ખુબ જ અગત્યની ભૂમિકા નિંભાવે છે. લોકોમાં સારા સંસ્કાર નાખવું પણ ખુબ જ જરૂરી છે.

આરએસએસ નેતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે મોબ લિંચિંગ જેવી ઘટનાઓ બિલકુલ પણ સ્વીકારી લેવામાં નહીં આવે પરંતુ જો લોકો ગૌમાંસ ખાવાનું છોડી દે તો લિંચિંગ જેવી ઘટનાઓ રોકી શકાય છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે આરએસએસ નેતા ઇન્દ્રેશ કુમારનું નિવેદન એવા સમય આવ્યું છે જયારે રાજસ્થાનના અલ્વરમાં એક વ્યકતિને લોકોએ ગાયોની તસ્કરી કરવાની શંકામાં મારી નાખ્યો. એક પ્રેસ મિટિંગમાં ઇન્દ્રેશ કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગૌમાંસ ખાવાનું બંધ કરી દેવાથી આવા અપરાધ રોકી શકાય છે.
ઝારખંડના હિન્દૂ જાગરણ મંચ કાર્યક્રમમાં પહોંચેલા ઇન્દ્રેશ કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઘણી મુસ્લિમ પાર્ટીઓ જેઓ રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદ સાથે જોડાયેલી છે. તેમને પહેલાથી જ વિવાદિત સ્થળ પર બાબરી મસ્જિદ માંગને છોડી દીધી છે, જે રામની જન્મભૂમિ છે. તેમને કહ્યું કે હિંદુઓને સાંપ્રદાયિક કહેવું યોગ્ય નથી. આવું કરવાથી તમે દુનિયાભરના ધર્મને સાંપ્રદાયિક શ્રેણીમાં લાવીને મૂકી દો છો.












Click it and Unblock the Notifications
