આરએસએસ ગડકરીનું ગોડફાધર નથીઃ જોશી

સંઘને ગડકરીનો 'ગોડફાધર' કહેવા બદલ અને ભ્રષ્ટાચારના આરોપોને ધ્યાનમાં રાખીને તેમને હટાવવા અંગે સંઘના ટોચના નેતૃત્વમાં બીજા ક્રમના નેતા જોશીએ કહ્યું કે, તમે મીડિયાના લોકો આવું કહે છે. ગડકરી પર જે આરોપો લાગ્યા છે તેના આધાર પર તેમને પદ છોડવાની જરૂર નથી.
ગડકરીને રાષ્ટ્રીય અધ્યક્ષ યથાવત રાખવા કે તેમને હટાવવા અંગેનો નિર્ણય ભાજપે કરવાનો છે. આરોગ્ય ભારતીના એક કાર્યક્રમમાં આવેલા જોશીએ પત્રકારોને કહ્યું કે, ગડકરીને યથાવત રાખવા કે હટાવવા એ અમારો વિષય નથી. તેનો નિર્ણય ભાજપે કરવાનો છે. આ ભાજપનો આંતરિક મામલો છે. ગડકરીએ જાતે કહ્યું છે કે તેમના પર લગાવવામાં આવેલા આરોપોની નિષ્પક્ષ તપાસ થવી જોઇએ.
ભ્રષ્ટાચારના આરોપો લાગવા બદલ વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને પૂર્વ અધ્યક્ષ બંગારુ લક્ષ્મણને પદ છોડવા માટે દબાણ કરવા અને ગડકરી મામલે બેવડા માપદંડના સવાલમાં જોશીએ કહ્યું કે, આ સંઘનો વિષય નથી, તેનો જવાબ ગડકરી અને ભાજપે આપવો જોઇએ. ભાજપ અને સંઘ વચ્ચેના સંબંધ અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, બન્ને અલગ-અલગ સંગઠન છે.
ગડકરીની માલિકીની કંપની પૂર્તિ સમૂહમાં સંઘના નેતાઓના રોકાણ અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, સંઘને તેનાથી કોઇ સંબંધ નથી. સંઘ સાથે જોડાયેલા લોકોને જે સારું લાગે તે સંગઠનમાં સામેલ થવાની સ્વાતંત્ર્યતા છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
