For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાત્મા ગાંધીની હત્યામાં RSSનો હાથ ન્હોતો: અડવાણી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 માર્ચ: ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જણાવ્યું કે મહાત્મા ગાંધીની હત્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો હાથ ન્હોતો. અડવાણીએ બુધવારે પોતાના બ્લોગમાં ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધીનો હવાલો આપ્યો છે.

અડવાણીએ 'મહાત્મા સંભવત: સહી નહીં થે' શીર્ષક સાથે બ્લોગમાં એ પણ જણાવ્યું છે કે સરકાર વલ્લભભાઇ પટેલના ફાળાને યાદ કરવામાં આવ્યું નહીં. અડવાણી લખે છે કે રાજમોહન ગાંધી લિખિત આ પુસ્તકમાં મહાત્માજીની હત્યાના સંબંધમાં સંઘ વિરુધ્ધ કોંગ્રેસના દુષ્પ્રચારનો પ્રભાવી રીતે ખંડન કરવામાં આવ્યું છે.

lk advani
ભાજપ નેતાએ જણાવ્યું છે કે રાજમોહન ગાંધીએ પોતાના પુસ્તકમાં 27 ફેબ્રુઆરી, 1948ના રોજ પટેલ દ્વારા જવાહરલાલ નેહરુને લખેલા પત્રનો હવાલો આપ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે 'લગભગ લગભગ દરરોજ બાપુની હત્યાના મામલે તપાસમાં થનારી પ્રગતિ પર નજર રાખી રહ્યો છું. મારી સાંજનો મોટાભાગનો સમય સંજીવજી (ગુપ્તચર વિભાગના પ્રમુખ અને દિલ્હી પોલીસના તત્કાલિન મહાનિરીક્ષક) સાથે ચર્ચામાં પસાર થાય છે. રોજની પ્રગતિની જાણકારી મેળવું છું અને કોઇ બિંદુ સામે આવે તો તેમને નિર્દેશ આપું છું. તમામ આરોપીઓએ વિસ્તૃત અને લાંબુ નિવેદન આપ્યું છે..નિવેદનોમાં સ્પષ્ટપણે એવું સામે આવ્યું છે કે આ મામલામાં સંઘની કોઇ સંડોવણી નથી.'

અડવાણીએ જણાવ્યું કે ઇતિહાસનું વિશ્લેષણ કરનાર કોઇ પણ ઊંડાણપૂર્વક અનુભવી શકે છે કે આઝાદ ભારતના વડાપ્રધાન તરીકે ગાંધીજી પંડિત નેહરુના સ્થાને સરદાર પટેલને ચૂંટતા તો શરૂઆતનો ઇતિહાસ કંઇક અલગ હોત.

English summary
The RSS was not involved in the killing of Mahatma Gandhi, BJP patriarch LK Advani said in a blog, quoting Gandhi's grandson Rajmohan Gandhi on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X