પત્ર લખી RSSએ સુષ્મા સ્વરાજને અંતિમ વિદાય આપી, લખ્યું- તેમનું જવું અકલ્પનીય
પત્ર લખી RSSએ સુષ્મા સ્વરાજને અંતિમ વિદાય આપી, લખ્યું- તેમનું જવું અકલ્પનીય
નવિ દિલ્હી: પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સુષમા સ્વરાજનું મંગળવાર રાત્રે અવસાન થયું. એમણે 67 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા. સુષમા સ્વરાજના અવસાન બાદ ઘણા નેતાઓએ એમને શ્રદ્ધાંજલી અર્પણ કરી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત ઘણા દિગ્ગજોએ સ્વરાજના અવસાન પર શોક વ્યક્ત કર્યો. આ ક્રમમાં રાષ્ટ્રીય સવયંસેવક સંઘ તરફથી શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. એક નિવેદન જાહેર કરીને સંઘ તરફથી કહેવામાં આવ્યું છે કે આ અત્યંત અકલ્પનીય, અવિશ્વસનીય દુખદ સમાચાર છે.
આ અત્યંત વેદનાદાયક છે. લગભગ 45 વર્ષોનું એમનું સમાાજીક, રાજકીય જીવન વિવિધ દ્ર્ષ્ટિથી આદર્શવાદ અને અનુકરણીય રહ્યું છે. એક આદર્શ કાર્યકર્તા, કુશળ નેત્રી, સક્ષમ પ્રભાવી મંત્રી, ધ્યેય સમર્પિત વ્યક્તિત્વન રૂપે એમની પ્રતિમા આપણા સૌની સમૃતિમાં સદા રહેશે. આ તમામમાં જે ખાસ વાત રહી તે એમણે જહેર કરેલા લેખિત નિવેદનમાં કહેવામાં આવ્યું કે હાલમાં દેશમાં બનેલી ઐતિહાસીક ઘટનાથી પ્રશન્ન થઇને એનણે દુનિયાને વિદાય આપવા પહેલા એમણે જાહેર કર્યું.
આપને જણાવી દઇએ કે, શ્રદ્ધાંજલી આપવા પહોંચેલા લલકૃષ્ણ અડવાણી પણ ભાવુ થઇ ગયા હતા. એમની પુત્રી પ્રતિભા અડવાણી તો રોવા લાગી હતી.ત્યાં હાજર લોકોએ પ્રતિભાને સાંત્વના આપી હતી. સમાજવાદી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ પણ ભાવુક થઇ ગયા હતા.
સુષ્મા સ્વરાજના નિધનથી શોકમાં બોલિવુડ, અમિતાભ બચ્ચને વ્યક્ત કર્યુ દુઃખ, લખી આ વાતો