RTI દ્વારા માંગી ભગવાન શ્રીકૃષ્ણના જન્મ, ગામ, લીલાઓ વિશે જાણકારી
એક આરટીઆઈ દ્વારા મથુરા જિલ્લા પ્રશાસન પાસે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ, તેમનુ ગામ, વ્રજની લીલાઓ વગેરે વિશે ઘણી જાણકારીઓ માંગવામાં આવી છે
ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં પ્રશાસન વિચિત્ર અસમંજસની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યુ છે. એક આરટીઆઈ દ્વારા મથુરા જિલ્લા પ્રશાસન પાસે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ, તેમનુ ગામ, વ્રજની લીલાઓ વગેરે વિશે ઘણી જાણકારીઓ માંગવામાં આવી છે જે અંગે સરકારી અધિકારીઓને પરસેવો છૂટી રહ્યો છે. આરટીઆઈમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મ પ્રમાણપત્રની પ્રમાણિત પ્રતિલિપિ શેર કરવાની માંગ કરવામાં આવી છે.

આરટીઆઈ દાખલ કરીને માંગ્યા જવાબ
છત્તીસગઢના એક આરટીઆઈ કાર્યકર્તા જૈનેન્દ્ર કુમાર ગેંદલે મથુરા જિલ્લાના પ્રશાસનથી ભગવાન કૃષ્ણના જન્મ અને તેની સાથે જોડાયેલી ઘણી જાણકારીઓ માંગી છે. આ મામલે મથુરાના મુખ્ય જનસૂચના અધિકારી અને અપર જિલ્લાધિકારી (એડીએમ કાયદો-વ્યવસ્થા) રમેશ ચંદ્રએ કહ્યુ કે જનમાન્યતા અને આસ્થા સાથે જોડાયેલા સવાલોના શું જવાબ આપવામાં આવે. વિભાગ આ અંગે અસમંજસની સ્થિતિમાં છે.

જન્મ પ્રમાણપત્રની પ્રમાણિત પ્રતિલિપિ માંગી
છત્તીસગઢના વિલાસપુર જિલ્લાના રહેવાસી આરટીઆઈ કાર્યકર્તા જૈનેન્દ્ર કુમાર ગેંદલે દાખલ કરેલ આરટીઆઈમાં લખે છે, ‘ગઈ 3 સપ્ટેમ્બરે દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીના પ્રસંગે રજાની ઘોષણા કરીને ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ મનાવવામાં આવ્યો. એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ પ્રમાણપત્રની પ્રતિલિપિ શેર કરવામાં આવે જેથી એ સિદ્ધ થઈ શકે કે તેમનો જન્મ આ દિવસે થયો હતો.'

‘શું શ્રીકૃષ્ણ ખરેખર ભગવાન હતા?'
એ પણ જણાવવામાં આવ્યુ છે કે શું તેઓ ખરેખર ભગવાન હતા? અને હતા તો કેવી રીતે? તેમની ભગવાન હોવાની પ્રમાણિકતા પણ ઉપલબ્ધ કરવામાં આવે. ભગવાન કૃષ્ણનું ગામ કયુ હતુ? તેમણે કઈ કઈ લીલાઓ કરી? આ સવાલો પર રમેશ ચંદ્રએ કહ્યુ કે હિંદુ ધર્મ સાથે જોડાયેલા ગ્રંથોમાં આ પ્રકારના વર્ણન છે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં તત્કાલિન શૌરસેન (વર્તમાનમાં મથુરા) જનપદમાં થયો હતો. ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા આવા સવાલોના શું જવાબ આપી શકાય તેના પર વિભાગ વિચાર કરી રહ્યો છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
