S Jaishankar : TMC સાંસદે કર્યો સવાલ, શું જયશંકરને ભૂલવાની બીમારી છે?
S Jaishankar : એસ જયશંકરે જયશંકર કે તેમના પિતા ડૉ. કે સુબ્રમણ્યમને 1980માં ઈન્દિરા ગાંધીની સરકારમાં સંરક્ષણ ઉત્પાદન સચિવના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
S Jaishankar : તૃણમૂલ કોંગ્રેસ સાંસદ અને પૂર્વ અધિકારી જવાહર સરકારે કર્યો સવાલ છે કે, શું વિદેશ મંત્રી જયશંકરને ભૂલવાની બીમારી છે? કે તેમને ભાજપ દ્વારા વિદેશ મંત્રી બનાવવાને કારણે તેમના વખાણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુંમાં વિદેશ મંત્રી એસ જયશંકરે આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસની ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સરકારમાં તેમના પિતા સાથે યોગ્ય વર્તણૂક કરવામાં આવી ન હતી. આ દાવાઓ બાદ જવાહર સરકારે જયશંકર સામે સવાલો ઉઠાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં એસ જયશંકરે અગાઉની કોંગ્રેસ સરકારની ટીકા કરી હતી. જયશંકર જણાવ્યું હતું કે, તેમના પિતા ડૉ. કે. સુબ્રમણ્યમને 1980માં ઈન્દિરા ગાંધીની સરકારમાં સંરક્ષણ ઉત્પાદન સચિવના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજીવ ગાંધીની સરકારમાં, તેમના પિતાથી જુનિયર અધિકારીને તેમની પહેલાં પ્રમોશન આપવામાં આવ્યું હતું.
આ સાથે એસ જયશંકરે દાવો કર્યો હતો કે, તેમના પિતા સંરક્ષણ બાબતોમાં સૌથી વધુ જાણકાર અધિકારી હતા, તેમ છતાં તેમની સાથે આવું કરવામાં આવ્યું હતું.
ડૉ. જયશંકરના આ નિવેદન અંગે ટીએમસીના સાંસદ જવાહર સરકારે ટ્વીટ કરીને એસ. જયશંકરના પિતા દ્વારા ગુજરાત રમખાણો અંગે આપેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો અને લખ્યું કે 'કે. સુબ્રમણ્યમે કહ્યું હતું કે, ગુજરાતમાં ધર્મની હત્યા થઈ છે. જેઓ નિર્દોષ લોકોનું રક્ષણ કરી શક્યા નથી, તેઓ અન્યાયના દોષી છે. રામ તેમના ધનુષ અને બાણનો ઉપયોગ ગુજરાતના અસુર શાસકો સામે કરશે. આ પછી જવાહર સરકારે લખ્યું હતું કે, દીકરાને શરમ આવવી જોઈએ, જે અસુરોની સેવા કરે છે.
જવાહર સરકારે એમ પણ જણાવ્યું હતું કે, જયશંકરે કોંગ્રેસના કાર્યકાળમાં તેમની તરફ ઈમાનદારીથી કામ કર્યું અને સારી જગ્યાએ પોસ્ટિંગનો લાભ લીધો હતો, પરંતુ હવે તેમને ગાંધી પરિવાર પ્રત્યે નારાજગી છે?
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી




Click it and Unblock the Notifications
