રતન ટાટાના દેહાંતથી દુઃખી છું, ભાવુક થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ભારતના મોભી, પ્રતિષ્ઠિત અને દયાળુ આત્મા લોકપ્રિય ઉદ્યોગપતિ રતન ટાટા દુનિયાને અલવિદા કહી ચાલ્યા ગયા છે. બુધવારે રાતે 86 વર્ષની ઉંમરમાં ટાટા સમૂહના પિતામહે મુંબઈની બ્રીજ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

રતન ટાટાના અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને આજે મુંબઈના નેશનલ સેંટર ફૉર પરફોર્મિંગ આર્ટ્સ હૉલમાં રાખવામાં આવશે, જ્યાં સવારે 10 વાગ્યેથી બપોરે 3:30 વાગ્યા સુધી લોકો તેમનાં અંતિમ દર્શન કરશે.
રતન ટાટાના નિધનથી સમગ્ર દેશ શોકમગ્ન થઇ ગયો છે, મહારાષ્ટ્ર અને ઝારખંડ સરકારે આજે એક દિવસના રાજકીય શોકનું એલાન કર્યું છે. સૌશિયલ મીડિયા પર સામાન્યમાં સામાન્યથી માંડી ખાસ વ્યક્તિઓ સુધી તમામે તેમને શ્રદ્ધાંજલિ અર્જિત કરી છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રતન ટાટાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર લખ્યું, 'શ્રીરતન ટાટા જી એક દૂરદર્શી કારોબારી નેતા, એક દયાળુ આત્મા અને એક અસાધારણ વ્યક્તિ હતા.'
તેમનું યોગદાન બોર્ડરૂમથી ક્યાંય આગળ ગયું- PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે, 'તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું. વધુમાં, તેમનું યોગદાન બોર્ડરૂમથી ઘણું આગળ હતું. તેમણે તેમની નમ્રતા, દયા અને આપણા સમાજને બહેતર બનાવવાની અતૂટ પ્રતિબદ્ધતાને કારણે ઘણા લોકોમાં પોતાની ઓળખ બનાવી.'
રતન ટાટા સાથેની એક તસવીર પણ શેર કરી
તેની સાથે જ પીએમ મોદીએ પોતાની અને રતન ટાટાની એક તસવીર પણ શેર કરી છે. નરેન્દ્ર મોદીએ પોતાની ભાવનાઓ વ્યક્ત કરતાં કહ્યું, "શ્રી રતન ટાટાજી સાથે મારી વાતચીતની અગણિત યાદો છે. ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં મારા કાર્યકાળ દરમિયાન અમે હંમેશા મળતા હતા અને કેટલાય મુદ્દાઓ પર ચર્ચા કરતા હતા, અને મને હંમેશા તેમની અંતર્દષ્ટિ અવિશ્વસનીય રૂપે સમૃદ્ધ કરવા વાળી લાગતી હતી. દિલ્હી આવ્યા પછી પણ અમારી વાતચીત ચાલુ રહી હતી. તેમના નિધનથી હું બહુ દુઃખી છું, મારી સંવેદના તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ ઓમ."
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
