દિગ્વિજયે કન્હૈયાને પ્રચાર માટે બોલાવ્યો તો ગુસ્સે થઇ સાધ્વી
મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો ચૂંટણી જંગ ચર્ચાનો વિષય બની રહ્યો છે.
મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો ચૂંટણી જંગ ચર્ચાનો વિષય બની રહ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહ અને ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર એકબીજા વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. હવે સાધ્વી પ્રજ્ઞાએ કન્હૈયા કુમાર માટે મોટું નિવેદન આપ્યું છે. ખરેખર કન્હૈયા કુમાર દિગ્વિજય સિંહ ના પ્રચાર માટે ભોપાલ આવી રહ્યા છે. તેના પર ગુસ્સે થયેલી સાધ્વી પ્રજ્ઞાએ દિગ્વિજય સિંહ પર પ્રહાર કરતા કહ્યું કે, સાંભળવામાં આવ્યું છે કે ટુકડે ટુકડે ગેંગના મુખ્યાને બોલાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: સરળતાથી ભૂસાઈ રહી છે મતદાન સહી, કોંગ્રેસી નેતાએ વીડિયો દ્વારા આપ્યો પુરાવો

ભગવા આતંકવાદ કહેનારની મોટી હાર થશે
એક ટીવી ચેનલ સાથે વાત કરતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ઘ્વારા જણાવવામાં આવ્યું કે હિન્દુત્વ અને ભગવા આતંકવાદ કહેનારની મોટી હાર થશે. હાલમાં તો મેં સાંભળ્યું છે કે ટુકડે ટુકડે ગેંગના લીડરને બોલાવવામાં આવી રહ્યા છે. જયારે બુદ્ધિ ભ્રષ્ટ થાય છે ત્યારે માં સરસ્વતી કૃપા કરે છે. ધર્મના કામ વધે છે અને અધર્મનો વિનાશ થાય છે. આપને જણાવી દઈએ કે કન્હૈયા કુમાર 8 અને 9 મેં દરમિયાન ભોપાલમાં દિગ્વિજય સિંહના પ્રચાર માટે આવી રહ્યા છે.

કન્હૈયાના આવવાથી કોઈ નુકશાન નહીં થાય: પ્રજ્ઞા
પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે દિગ્વિજય સિંહના સમર્થનમાં કન્હૈયા કુમારના આવવાથી અને તેના પ્રચાર કરવાથી તેમને કોઈ પણ પ્રકારનું નુકશાન નહીં થાય. પ્રજ્ઞા ઠાકુરે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે મોદીજી પાસે આ વખતે નવી યોજનાઓ છે. આપને જણાવી દઈએ કે ભોપાલમાં સોમવારે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ઉમા ભારતી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓ રડી પડ્યા હતા.

સાધ્વી પ્રજ્ઞા માટે ઉમા ભારતી આવ્યા
ઉમા ભારતીને મળીને સાધ્વી પ્રજ્ઞાનું હૃદય ભરાઈ આવ્યું અને તેઓ રડવા લાગ્યા. ઉમા ભારતીએ તેમને તિલક કરીને ખીર ખવડાવી. તેની સાથે સાથે ઉમા ભારતીએ ભોપાલમાં તેના માટે પ્રચાર કરવાનું વચન પણ આપ્યું. ઉમા ભારતીએ કહ્યું કે તેઓ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું ખુબ જ સમ્માન કરે છે કારણકે મેં તેમના પર થયેલા અત્યાચારો જોયા છે. આ માટે તેઓ પૂજનીય છે અને તેમના માટે ચૂંટણી પ્રચાર કરીશ.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
