અફવાહ કે હકીકત: ભક્તોનો દાવો કે શિરડીમાં સાંઈ બાબા પ્રગટ થયા, બે દિવસથી બંધ નથી થયું મંદિર
વિશ્વ પ્રસિદ્ધ શિરડીના સાંઈ બાબા મંદિરમાં ભક્તોની સંખ્યા વધી ગયી છે કારણકે ભક્તો ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે મંદિરની દીવાલ પર સાંઈ બાબાની ફોટો ઉભરીને આવી છે
વિશ્વ પ્રસિદ્ધ શિરડીના સાંઈ બાબા મંદિરમાં ભક્તોની સંખ્યા વધી ગયી છે કારણકે ભક્તો ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે મંદિરની દીવાલ પર સાંઈ બાબાની ફોટો ઉભરીને આવી છે અને બાબા પોતાના ભક્તોને સાક્ષાત દર્શન આપી રહ્યા છે. કેટલીક નવી મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બાબાના દર્શન અને ફોટોને કારણે બુધવાર રાતથી મંદિરના દરવાજા બંધ નથી કરાયા. આ ખબર સામે આવ્યા જ ભારે સંખ્યામાં લોકો બાબાના દર્શન કરવા માટે શિરડી આવી રહ્યા છે.
આપણે જણાવી દઈએ કે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં શિરડી સાંઈ બાબાનું મંદિર આવેલું છે. શિરડીમાં આજે પણ સાંઈ બાબાનો પ્રભાવ જોવા મળી રહ્યો છે કરોડો લોકો પોતાની મનોકામના પુરી કરવા માટે શિરડી આવે છે.
સાંઈ બાબાએ પ્રેમ, ક્ષમા, મદદ, દાન, સંયમ, આધ્યાત્મિક શાંતિ, ભગવાન અને ગુરુ માટે સમર્પણની શિક્ષા આપી હતી. તેમનું કહેવું હતું કે સબકા માલિક એક હૈ. તેમના માટે માણસ પહેલા હતો એટલા માટે તેઓ આજે દરેક સમુદાયમાં પ્રિય છે. શિરડીમાં સાંઈ બાબાની મૂર્તિ સોનાના સિંહાસનમાં સ્થાપિત છે. આ મંદિર 200 વર્ગ મીટરમાં ફેલાયેલું છે.