ક્રિસમસ પહેલાં પગાર ચૂકવવામાં આવશે: કિંગ ફિશર

હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને મોકલેલા પત્રમાં એરલાઇન્સના સીઇઓ સંજય અગ્રવાલે કહ્યું છે કે 'અમને ઘણા પત્રો મળ્યા છે જેમાં આંશિક હડતાળ દરમિયાન પગારની સ્થિતી અંગે પૂછવામાં આવ્યું છે'.
તેમને કહ્યું હતું કે 'મને જણાવતાં ખુશી થાય છે કે કંપનીના બધા કર્મચારીઓને ઑક્ટોબરનો પગાર આ વર્ષે ક્રિસમસ પહેલાં આપવામાં આવશે'. તેમને દાવો કર્યો છે કે 26 ઑક્ટોબર પહેલાં મોટાભાગના કર્મચારીઓ કામકાજ શરૂ કરવાના સમાચાર આપ્યાં છે. પગાર ચૂકવવા માટે પૈસા ક્યાંથી આવશે તે અંગે પૂછવામાં આવતાં તેમને સ્ત્રોતની જાણકારી આપવાની મનાઇ કરી દિધી હતી.
કિંગફિશરના કર્મચારી 29 સપ્ટેમ્બરથી હડતાળ પર છે અને તે આ વર્ષે માર્ચ પહેલાં બાકી પગારની ચૂકવણી કરવાની માંગણી કરી રહ્યાં છે. હડતાળના કારણે કંપનીને એક ઑક્ટોબરથી તાળાબંધી કરવાની જાહેરાત કરવી પડી હતી. તેના કારણે વિમાન નિયામક ડીજીસીએ કંપનીનું લાયસન્સ સસ્પેંડ કરી દિધું હતું.












Click it and Unblock the Notifications
