For Quick Alerts
For Daily Alerts
મહારાજગંજ: સપાના નેતાની ગોળી મારી હત્યા, બે મહિના પહેલા પણ થયો હતો હુમલો
યુપીના મહારાજગંજમાં જિલ્લા પંચાયતના સભ્યના પુત્ર સપા નેતા જીતેન્દ્ર યાદવને સોમવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
યુપીના મહારાજગંજમાં જિલ્લા પંચાયતના સભ્યના પુત્ર સપા નેતા જીતેન્દ્ર યાદવને સોમવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોળીબારમાં જીતેન્દ્રનો એક સાથી પણ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, સોમવારે અજાણ્યા ત્રાસવાદીઓએ પુરંદરપુરના મહુવા મહુઇ ચોક પર સપાના નેતા જીતેન્દ્ર યાદવને ગોળી મારી દીધી હતી. જીતેન્દ્રને ચાર ગોળી વાગી હતી, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. આ હુમલામાં જીતેન્દ્રનો એક સાથી પણ ઘાયલ થયો હતો, જેની સારવાર ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે સપાના નેતા પર પણ બે મહિના પહેલા હુમલો થયો હતો. હાલમાં પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: નાગરીક સંશોધ બિલના વિરોધમાં વિપક્ષ, અખિલેશ યાદવે કહી આ વાત
Comments
English summary
Samajwadi Party Leader Jitendra Yadav Shot Dead in Maharajgaj
Story first published: Monday, December 9, 2019, 18:49 [IST]