'જિલ્લા ગાઝિયાબાદ'માં એસપી નેતાની ઘરમાં ઘુસી ગોળી મારી હત્યા

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નેતાના ઘરમાં ઘુસીને લગભગ 8 જેટલા અજાણ્યા શખ્શોએ હુમલો કરીને નેતાની હત્યા કરી નાખી. જોકે હજી સુધી હત્યા પાછળના કારણોનો ખુલાસો થઇ શક્યો નથી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે, પરંતુ પોલીસના હાથે હજી સુધી કોઇ સબુત હાથ લાગ્યા નથી.
સમાજવાદી પાર્ટીના નેતા સોમવારે સવારે ગાઝિયાબાદના બમહટ્યા ગામમાં પોતાના ઘરમાં બહાર જવા માટે તૈયાર થઇ રહ્યા હતા. દરમિયાન તેમના પર કેટલાંક અજાણ્યા શખ્શોનું ટોળું ઘરમાં ધસી આવ્યું અને તેમની પર અંધાધૂંધ ફાયરીંગ કરીને ફરાર થઇ ગયા.
વ્યવસાયે વકીલ આ સપા નેતાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને તેમનો ગનર ઝખમી થઇ ગયો હતો. જોકે પોલીસ આ હુમલાને અંગત અદાવત ગણાવે છે.












Click it and Unblock the Notifications
