સમીર વી કામત DRDOના નવા અધ્યક્ષ બન્યા, સતીશ રેડ્ડી સંરક્ષણ પ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર બનશે!
ભારતના વરિષ્ઠ વૈજ્ઞાનિકોમાંના એક સમીર વી કામતને સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન (DRDO)ના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી આ જવાબદારી સતીષ રેડ્ડી સંભાળી રહ્યા હતા.
નવી દિલ્હી : ભારતના વરિષ્ઠ વૈજ્ઞાનિકોમાંના એક સમીર વી કામતને સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન (DRDO)ના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી આ જવાબદારી સતીષ રેડ્ડી સંભાળી રહ્યા હતા. કેન્દ્ર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, કામત 60 વર્ષની ઉંમર સુધી અથવા આગળના નિર્ણય સુધી આ પદ પર કાર્યરત રહેશે. હાલમાં તેઓ નેવલ સિસ્ટમ્સ એન્ડ મટિરિયલ્સ વિભાગના મહાનિર્દેશક છે. આ સાથે જ અન્ય એક મહત્વના નિર્ણયમાં સરકારે જી. સતીશ રેડ્ડીને સંરક્ષણ મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે.

ડીઆરડીઓની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, કામતે 1985માં આઈઆઈટી ખડગપુરમાંથી મેટલર્જિકલ એન્જિનિયરિંગમાં બીટેક કર્યું હતું. ત્યારબાદ તેઓ 1988માં યુએસ ગયા, જ્યાં તેમણે ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીમાંથી મટિરિયલ્સ સાયન્સ અને એન્જિનિયરિંગમાં પીએચડી પૂર્ણ કર્યું છે.
ડો. કામત હૈદરાબાદ ખાતે DMRL લેબોરેટરીમાં વૈજ્ઞાનિક 'C' તરીકે 1989માં DRDOમાં જોડાયા હતા અને ઓક્ટોબર 2013માં ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક 'H' તરીકે પ્રમોટ થયા હતા. તેમણે 17 ઓગસ્ટ 2015ના રોજ પ્રયોગશાળાના નિયામક તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. છેલ્લા 25 વર્ષ દરમિયાન ડૉ. કામતે અદ્યતન સામગ્રી જેમ કે પાર્ટિક્યુલેટ રિઇનફોર્સ્ડ મેટલ મેટ્રિક્સ કમ્પોઝિટ, સિરામિક મેટ્રિક્સ કમ્પોઝિટ, એલ્યુમિનિયમ-લિથિયમ એલોય, હાઇ સ્ટ્રેન્થ એલ્યુમિનિયમ એલોય અને ટાઇટેનિયમ એલોયમાં માઇક્રોસ્ટ્રક્ચર-મિકેનિકલ પ્રોપર્ટી ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
બીજી તરફ ડૉ.સતીશ રેડ્ડી હવે સંરક્ષણ મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે સેવા આપશે. રેડ્ડીની કારકિર્દી પણ ઘણી સિદ્ધિઓથી ભરેલી રહી છે. તેમણે સંરક્ષણ પ્રણાલી અને તકનીકોના સ્વદેશી વિકાસનું પણ નેતૃત્વ કર્યું છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
