Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સંજય દત્તનો નિર્ણય : 18 એપ્રિલે કરશે આત્મસમર્પણ

sanjay-dutt
મુંબઇ, 6 એપ્રિલ : લગભગ 20 વર્ષ પહેલા મુંબઇને ઘણધણાવી દેનારા વર્ષ 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ કેસમાં પાંચ વર્ષની જેલની સજા કરાયા બાદ બોલીવુડ એક્ટર સંજય દત્તે આત્મસમર્પણ કરવાનો નિર્ણય લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંજય દત્તે નક્કી કર્યું છે કે તેઓ18 એપ્રિલના રોજ આત્મસમર્પણ કરશે.

ચાલુ અઠવાડિયે સંજય તેના બનેવી અને એક્ટર કુમાર ગૌરવની સાથે દતિયા ગયો હતો જ્યાં એણે પીતાંબરા પીઠમાં વિધિવત્ પૂજા અર્ચના કરી હતી. હાલ એ પોતે હાથમાં લીધેલી ફિલ્મોનું શૂટિંગ પૂરું કરવામાં વ્યસ્ત છે. સંજયની નિકટના સૂત્રોનું કહેવું છે કે સંજય તેની અટકેલી તમામ ફિલ્મોનું શૂટિંગ 13થી 17 એપ્રિલ સુધીમાં પૂરું કરી દેવા માગે છે. આ ફિલ્મોમાં રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘પી.કે.'નું શૂટિંગ પણ 13 એપ્રિલ સુધીમાં પૂરું કરી દેવા ઇચ્છે છે.

ઉલ્લેખનીય છે કે 1993ના મુંબઇ બ્લાસ્ટ કેસમાં સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ હવે સંજય દત્ત પાસે જેલની સજાથી બચવા માટે ખુબ ઓછા વિકલ્પ બચ્યાં છે. સંજય આ પહેલાં 18 મહિનાની જેલ ભોગવી ચુક્યો છે અને હવે તેને સાડા ત્રણ વર્ષ જેલમાં રહેવું પડશે. એક નાનું આશાનું કિરણ છે કે જો તેમની પુનવિચાર યાચિકા સ્વિકારવામાં આવે છે તો ચુકાદા પર સ્ટે આવી શકે છે. પરંતુ તેમને એ સ્પષ્ટ છે કે બધા માટે પુનવિચાર યાચિકાનો વિકલ્પ ખુલ્લો હોતો નથી અને પુનવિચાર યાચિકાને ત્યારે સ્વિકારવામાં આવે છે જ્યારે કોર્ટના ચુકાદામાં કોઇ ટેક્નિકલ ભુલ હોય.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X