સંજય દત્તને યરવાડા જેલમાં રાખવામાં આવે એવી શક્યતા

sanjay-dutt
મુંબઇ, 11 મે : ફિલ્‍મ અભિનેતા સંજય દત્તની રિવ્‍યુ પીટીશન સુપ્રિમ કોર્ટ દ્વારા ફગાવી દેવાતા હવે તેને ટાડા કોર્ટ સમક્ષ સરેન્‍ડર થવુ પડશે. સંજય દત્તને પુણેની યરવડા જેલમાં રાખવામાં આવે તેવી શકયતા છે. જો કે મહારાષ્‍ટ્રના પ્રિઝન વિભાગ દ્વારા આ અંગે 3થી 4 દિવસમાં નિર્ણય લેવાઇ જશે. જો સંજય દત્તને યરવડા જેલમાં રાખવામાં આવે તો તેને એક અલગ સેલ આપવામાં આવશે. જયાં ચુસ્‍ત સુરક્ષા ગોઠવવામાં આવશે.

એડીશ્‍નલ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ (પ્રિઝન) નિરન બોરવાંકરે જણાવ્‍યુ છે કે, સરેન્‍ડર થયા પછી સંજય દત્તને કયાં રાખવો એ અમે અત્‍યારથી મીડીયાને કહી શકીએ નહી. દરમિયાન જેલના વર્તુળોના જણાવ્‍યા પ્રમાણે સંજય દત્તને યરવડા જેલમાં મોકલી દેવાશે. હાઇપ્રોફાઇલ આરોપીને જે સગવડતા જોઇએ તે બધી આ જેલમાં છે અને તે સલામત છે.

જેલ ઓફિસરના જણાવ્‍યા પ્રમાણે પ્રોસીજર અનુસાર સંજય દત્ત પહેલા ટાડા કોર્ટ સમક્ષ સરન્‍ડર કરશે અને ત્‍યાંથી તેને આર્થર રોડ જેલમાં મોકલી દેવાશે જયાં પણ તેને સુરક્ષા અપાશે. અગાઉ તે થાણેની જેલમાં હતો જયાં તેને અંડા સેલમાં રાખવામાં આવ્‍યો હતો. બાદમાં યરવડા જેલમાં મોકલી તેને અલગ સેલ અપાયુ હતુ.

સંજય દત્તને 16મી મેએ સરન્‍ડર થવાનુ છે. હવે તેની પાસે રાહત માટે કયુરેટીવ પીટીશન દાખલ કરવાનો માર્ગ બાકી રહ્યો છે. જો માફીની તેની અરજી મહારાષ્‍ટ્રના રાજયપાલ સ્‍વીકારે તો તેને રાહત મળી શકે છે પરંતુ હાલ તો તેને નક્કી કરેલા દિવસે સરન્‍ડર થવાનું છે અને જેલમાં જવાનુ છે અને પછી તેણે અરજી કરવાની રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X