સંજય દત્ત કોર્ટમાં જ કરશે સરેન્ડર, અરજી પાછી લીધી
આ અરજી પાછી ખેંચવાની સાથે જ હવે સંજય દત્ત કોર્ટમાં સરેન્ડર કરશે. આ પહેલા અભિનેતાએ કટ્ટરપંથિઓથી તેમના જીવને જોખમ હોવાનું જણાવી સીધું જેલમાં સરેન્ડર કરવાની પરવાનગી માંગી હતી.
મુંબઇના 1993ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં દોષી ઠરેલા સંજય દત્તને 16 મેના રોજ સાંજ સુધી સરેન્ડર કરવાનું છે, કારણ કે સુપ્રીમ કોર્ટમાં તેમની વધુ એક અપીલ રદ થઇ ચૂકી છે.
જેલ ગયા બાદ હિરો તરીકે સંજય દત્તની પહેલી ફિલ્મ 'પોલીસગીરી' 5 જુલાઇના રોજ રીલિઝ થશે. ફિલ્મના પ્રમોશન માટે પોસ્ટર પણ આવી ગયા છે.
સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ સંજય દત્તે સૌથી પહેલા પોલીસગીરીના જ શૂટીંગ શરૂ કર્યું હતું અને ફિલ્મ બનીને તૈયાર છે. પોલીસગીરીના પ્રોડ્યુસર ટી પી અગ્રવાલ જ 'વસૂલી' ફિલ્મ પણ બનાવી રહ્યા છે જેની શૂટિંગ નિર્ણય આવ્યાના એક દિવસ પહેલા શરૂ જ થયું હતું.
આર્મ્સ એક્ટમાં ટાડા કોર્ટે સંજય દત્તને છ વર્ષની સજા સંભળાવી હતી જેને સુપ્રીમ કોર્ટે ઘટાડીને પાંચ વર્ષ કરી દીધી હતી. સંજય દત્તે કોર્ટમાં અરજી કરીને ફિલ્મોનું શુંટીંગ પતાવવા માટે છ મહીનાનો સમય માંગ્યો હતો, જેની પર સુપ્રીમ કોર્ટે તેમને ચાર અઠવાડીયાનો વધુ સમય માંગ્યો હતો.