પીએમસી બેંક કૌભાંડમાં પત્નીને નોટીસ પર બોલ્યા સંજય રાઉત, કહ્યું - EDની નોટીસ કાગળના ટુકડા!!
શિવસેનાના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા પત્ની વર્ષા રાઉતને મળેલ નોટિસને રાજકીય પ્રેરિત ગણાવી છે. સોમવારે સંજય રાઉતે કહ્યું હતું કે આ નોટિસ કાગળના ટુકડાઓ કરતાં વધુ કંઈ નથી.
શિવસેનાના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા પત્ની વર્ષા રાઉતને મળેલ નોટિસને રાજકીય પ્રેરિત ગણાવી છે. સોમવારે સંજય રાઉતે કહ્યું હતું કે આ નોટિસ કાગળના ટુકડાઓ કરતાં વધુ કંઈ નથી. ઇડીએ કેટલાક કાગળો માંગ્યા હતા અને અમે તે સમયસર સબમિટ કર્યા છે. તેમણે કહ્યું હતું કે મારી પત્ની ઘરેલુ મહિલા છે, રાજકારણ સાથે કે સરકાર સાથે તેમને કંઈ લેવાદેવા નથી, તેમને નિશાન બનાવવું એ ભયંકર કૃત્ય છે. આ માત્ર અમને ડરવાનો પ્રયાસ છે, જેમાં ભાજપ સફળ નહીં થાય. રાઉતે એમ પણ કહ્યું કે તેમની પાસે પણ ભાજપના 121 નેતાઓની યાદી છે. આવા સુરમા ભાજપમાં બેઠા છે, જો હું તેના પરિવાર સુધી પહોંચીશ તો તમારે દેશથી ભાગી જવું પડશે.
રાઉતે કહ્યું, આ બધું રાજકારણથી પ્રેરિત છે, ઇડીએ 10 વર્ષ જુનો કેસ બહાર પાડ્યો, અમે મધ્યમ વર્ગના લોકો છીએ. મારી પત્ની એક શિક્ષિકા છે, તેણે 10 વર્ષ પહેલા તેના મિત્ર પાસેથી 50 લાખની લોન લીધી હતી, આમાં ઇડી અને ભાજપને શું મુશ્કેલી છે? મારી પાસે કેટલાક વર્ષોથી ભાજપના પરિવારમાંથી લોકો આવે છે, તેઓ મને વારંવાર કહેવાની કોશિશ કરે છે કે આ સરકાર અમને કોઈપણ સંજોગોમાં નીચે લાવવાની છે કારણ કે આપણી પાસે કેન્દ્ર, ઈડી, સીબીઆઈ અને અન્કમટેક્સની સત્તા છે.
સંજય રાઉતે કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં શરદ પવાર, એકનાથ ખડસે અને પ્રતાપ સરનાઇકને કેન્દ્રિય એજન્સીઓ દ્વારા સતત નિશાન બનાવવામાં આવ્યા છે. હવે મારા પરિવારને નિશાન બનાવ્યો છે. અમે જોઈ રહ્યા છીએ કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી-શિવસેનાની સરકાર બનાવવામાં ભૂમિકા ભજવનારા તે બધા લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: શું સરકારે ચીની નાગરિકોને ભારત ન લાવવા એરલાઇનને આપ્યા આદેશ? એવીયેશન મિનિસ્ટર હરદીપ સિંહે આપ્યો આ જવાબ