આપ કાર્યકર્તા સંજય સિંહનો સનસનીખેજ ખુલાસો
આમ આદમી પાર્ટીમાં એક પછી એક ખુલાસાઓ બહાર આવી રહ્યા છે. આપના નેતા સંજય સિંહે યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણ પર જવાબી હુમલો કરતા કહ્યું કે યોગેન્દ્ર પોતાના સમર્થકોને રાષ્ટ્રિય કાર્યકારણીમાં સમાવવા માંગતો હતો. તેમણે આ ધટસ્ફોટ એક પ્રેસ કોન્ફર્ન્સમાં કર્યો છે. એટલું જ નહીં તેમની પાસે એક પત્ર પણ છે જેમાં યોગેન્દ્ર યાદવે પોતાના સમર્થકોના સમાવેશની માંગ કરી છે.

આ પત્રમાં નીચે મુજબના લોકોને યોગેન્દ્ર યાદવે રાષ્ટ્રિય કાર્યકારણીમાં સમાવાની માંગણી કરી હતી.
1.મીરા સાન્યાલ
2.ગુલ પનાગ
3.રાહુલ મેહરા
4.રાધવ ચડ્ડા
5.આતિશી મારલીન
6.પૃથ્વી સિંહ
7.કિરણ વિસ્સા
8.મારુતી ભાષ્કર
આપની આ પ્રેસ કોન્ફર્ન્સના મુખ્ય અંશ આ મુજબ છે.
1. યોગેન્દ્રએ લોકોને ખોટી જાણકારી આપી છે.
2. સંજય સિંહ- યોગેન્દ્ર કોણ છે એવું કહેવાવાળો કે બેઠકોની વિડિયો રેકોર્ડિંગ થાય.
3. આશીષ ખેતાન- યોગેન્દ્રએ ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કાવતરું કર્યું છે.
4.સંજય સિંહ- યોગેન્દ્ર પાર્ટીમાં કંઇક બોલે છે અને લોકોની વચ્ચે બહાર કંઇક બીજું બોલે છે.
5.યોગેન્દ્ર યાદવના તમામ પાંચ મુદ્દા પર સહમતિ હતી પણ તે પોતાના સમર્થકોને રાષ્ટ્રિય કાર્યકારણીમાં જોડવા માંગે છે
6 આશુતોષ- જે સ્ટિંગ ઓપરેશનની તપાસ વાત યોગેન્દ્ર કરી રહ્યા છે તે જ સ્ટ્રિંગ ઓપરેશનને એક સમયે યોગેન્દ્રએ ખોટું કહ્યું હતું અને કહ્યું હતું કે કેજરીવાલ સામેના આ આરોપ ખોટા છે.
7. આશુતોષ- યોગેન્દ્ર પાર્ટીમાં પોતાના મિડીયા બયાનો પર માફી પણ માંગી ચૂક્યા છે.
8. આશુતોષ- કોના ઇશારે યોગેન્દ્ર આ બધુ કરે છે?
9.યોગેન્દ્રએ પોતાના બયાનો પર માફી માંગવી જોઇએ.












Click it and Unblock the Notifications
