Satpura Fire Accident : સતપુડા ભવનની આગ પર કાબૂ મેળવવા મદદે આવ્યું એરફોર્સ, CMએ સંરક્ષણ પ્રધાન પાસે માંગી મદદ
Satpura Fire Accident: મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલની એક સરકારી બિલ્ડિંગમાં આગ લાગી છે. આ આગ અતિ વિકરાળ બની રહી છે. પરિસ્થિતિ એટલી વણસી રહી છે કે, આજે રાત્રે એરફોર્સના હેલિકોપ્ટર અને વિમાન ભોપાલ પહોંચી ગયા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર અને ડિસ્ટ્રિક્ટ મેજેસ્ટ્રેટ ખુદ ઘટના સ્થળે હાજર છે.
સતપુરા ભવનમાં લાગેલી આગને લઈને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વડાપ્રધાન મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પાસે મદદ માંગી છે. આગના વિકરાળ સ્વરૂપને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે વાત કરી અને આગ ઓલવવા માટે એરફોર્સની મદદ માંગી છે.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની મદદ માંગ્યા બાદ સંરક્ષણ મંત્રીએ એરફોર્સને મદદ કરવા માટે નિર્દેશ આપ્યો છે. જે બાદ AN 32 એરક્રાફ્ટ અને MI 15 હેલિકોપ્ટર આજે રાત્રે ભોપાલ પહોંચશે. AN 52 અને MI 15 સતપુરા બિલ્ડિંગની ઉપરથી પાણીનો મારો ચલાવીને આગ ઓલવવાનો પ્રયાસ કરશે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને ભોપાલ એરપોર્ટ આખી રાત ખુલ્લું રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભોપાલના સાતપુરા બિલ્ડિંગમાં સોમવારની સાંજે ભીષણ આગ લાગી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.
આ ઘટનાની મળતી માહિતી મુજબ સાતપુરાના ત્રીજા માળે આવેલી આદિજાતિ વિકાસ યોજનાની ઓફિસમાં સાંજે ભીષણ આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, બિલ્ડિંગના આઉટડોર એસીમાં આગ લાગવાના કારણે આ આગ આખા ફ્લોરમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી.
હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સમર્થન સામે આવી શક્યું નથી. ઘટનાસ્થળે પહોંચીને ફાયર બ્રિગેડની 3 ગાડીઓ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. આગ લાગવાની થોડી જ વારમાં જ્વાળાઓ ઝડપથી સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી.
ભોપાલમાં સ્ટેજ કંટ્રોલ રૂમમાં આગ લાગવાની આ પહેલી ઘટના નથી, આ પહેલા 14 ડિસેમ્બર, 2018ના રોજ પણ સાતપુરા બિલ્ડિંગમાં આગ લાગી હતી, ત્યારે પણ આ ઘટનાને લઈને સવાલો ઉભા થયા હતા. ત્યારે પણ આગના કારણે ઘણા ગોપનીય દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા હતા.
કોંગ્રેસ ચૂંટણી જીત્યા બાદ આ આગ લાગી હતી. કમલનાથ 17 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના હતા, પરંતુ તેના ત્રણ દિવસ પહેલા જ ઘણા સરકારી દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા હતા. આ પછી કામગીરીમાં લાગેલી આગ પર અનેક સવાલો ઉભા થયા છે.












Click it and Unblock the Notifications
