2જી કૌભાંડની તપાસથી દૂર કરવામાં આવ્યા CBI ચીફ, SCનો આદેશ
નવી દિલ્હી, 20 નવેમ્બર: સીબીઆઇના ડાયરેક્ટર રંજીત સિન્હાને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે તેમને 2જી ઘોટાળા સાથે જોડાયેલ કોઇપણ તપાસથી દૂર રહેવાનો આદેશા આપી દીધો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે રંજીત સિંહા 2જી કૌભાંડ સાથે જોડાયેલ કોઇપણ તપાસમાં સામેલ નહીં થાય અને તમામ દસ્તાવેજ તપાસ ટીમના સૌથી મોટા અધિકારીને સોંપશે.
એક એનજીઓ સીપીઆઇએલે આરોપ લગાવ્યો હતો કે સીબીઆઇ ચીફ કેટલાંક આરોપીઓને બચાવવાની કોશીશ કરી રહ્યા છે. તેમના ઘરે મળેલી વિઝિટર્સ ડાયરીથી માલૂમ પડે છે કે તેઓ ઘર પર મામલાને સંબંધિત ઘણા લોકોને મળે છે, માટે અરજીકર્તા સીપીઆઇએલે માંગ કરી હતી કે રંજીત સિંહાને 2જી કૌભાંડની તપાસથી અલગ કરવામાં આવે કારણ કે તેમની હાજરીથી તપાસ પર અસર પડી શકે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જે તથ્ય આપવામાં આવ્યા છે તે યોગ્ય લાગી રહ્યા છે પરંતુ અમે વધારે કંઇપણ નહીં કહેવા માંગતા કારણ કે આ સીબીઆઇની છબીનો સવાલ છે.

સિન્હાએ ગઇ કાલે કોર્ટને જણાવ્યું હતું કે ડીઆઇજી રેંકના સીબીઆઇ ઓફીસર સંતોષ રસ્તોગીએ ઉપરની એનજીઓને એવા દસ્તાવેજ ઉપલબ્ધ કરાવ્યા છે જેના કારણે તેમની પર આધારહીન અને ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. બીજી તરફ સરકાર તરફથી વિશેષ લોક અભિયોજક આનંદ ગ્રોવરે જણાવ્યું કે સિન્હાએ 2જી કેસમાં દખલગીરી કરી હતી જે એજન્સીના સ્ટેન્ડથી બિલકૂલ ભિન્ન હતું. ગ્રોવરે જણાવ્યું કે જો સિન્હાની વાત માનવામાં આવી હોત તો 2 જીમાં અમારો કેસ સંપૂર્ણ રીતે બર્બાદ થઇ જતો. સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું કે 2જી કૌભાંડની તપાસથી સંતોષ રસ્તોગીને હટાવવા તેમના આદેશનું ઉલ્લંઘન છે.
સુપ્રીમ કોર્ટે સીબીઆઇ ચીફ રંજીત સિન્હાને જણાવ્યું કે એવું લાગે છે કે તેમને એક ખાસ ઉદ્દેશ્યથી સીબીઆઇથી બહાર ટ્રાંસફર કરવામાં આવ્યા. તેઓ પોતાના માર્ગમાંથી કાંટા દૂર કરવા માંગતા હતા જેથી તેમનો કોઇ વિરોધ ના કરે, એટલા માટે રસ્તોગીનું ટ્રાંસફર કરવામાં આવ્યું. શું આ કોર્ટના આદેશની સાથે છેડછાડ નથી. જો તે આપના અનુસાર કામ ન્હોતા કરી રહ્યા તો આપે કોર્ટમાં જાણ કરવી જોઇતી હતી. અમે જ્યારે રસ્તોગીને ટીમમાં સામેલ કર્યા હતા, તો એ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે કોઇ પણ અધિકારીને અડવામાં નહીં આવે, તો પછી આવું કેમ થયું. એક સીનિયર અધિકારીએ હંમેશા ટીમ વર્કમાં કામ કરવું જોઇએ.
કોર્ટે આ વાત પર પણ નાખુશી વ્યક્ત કરીને મામલાની સુનાવણી દરમિયાન મોટી સંખ્યામાં સીબીઆઇ ઓફીસર કોર્ટ રૂમમાં હાજર હતા. કોર્ટે જણાવ્યું કે કોર્ટ રૂમના સ્થાને પોતાની ડ્યૂટી પર હોવા જોઇતા હતા. આઠ સીબીઆઇ ઓફીસર કોર્ટમાં તે સમયે હાજર હતા જે કોર્ટનું વલણ જોઇ બાદમાં ત્યાંથી ચાલ્યા ગયા.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
