ચારા કૌભાંડઃ લાલુ યાદવ માટે હાલ પુરતી રાહત

lalu-prasad-yadav
નવી દિલ્હી, 9 જુલાઇઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને અંતરિમ રાહત આપતા સુપ્રીમ કોર્ટે ઝારખંડમાં સીબીઆઇની વિશેષ અદાલતને 15 જુલાઇએ ચારા કૌભાંડ સંબંધિત મામલા અંગે નિર્ણય સંભાળવા પર રોક લગાવી દીધી છે. ન્યાયમૂર્તિ પી સદાશિવમની અધ્યક્ષતાવાળી ખંડપીઠે લાલુ પ્રસાદના આરોપો પર વિચાર કરવા માટે તૈયાર થઇ ગયા કે ચારા કૌભાંડના કેસની સુનાવણી કરી રહેલા વિશેષ ન્યાયધીશ પી કે સિંહ તેમની સાથે પક્ષપાત કરી શકે છે, કારણ કે તે નીતિશ કુમાર સરકારના શિક્ષામંત્રી પી કે શાહની સંબંધી છે.

ન્યાયધીશોએ કહ્યું કે, યાચિકામાં ઉઠાવવામાં આવેલા આ પ્રસ્નો પર વિચારની આવશ્યક્યતા છે કે, આ આરોપો સાચા છે કે નહીં. ન્યાયાલયએ તેની સાથે જ સીબીઆઇને નોટીસ જારી કરી છે. ન્યાયાધીશોએ આ મામલે કહ્યું કે, જો તપાસ એજન્સી કહે છે કે તેમાં કોઇ પક્ષપાત નથી તો, યાચિકા ખારીજ કરી દેવામાં આવશે. ન્યાયાલયે તપાસ એજન્સી અને ઝારખંડ સરકારને બે સપ્તાહની અંદર જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપતા લાલુ પ્રસાદ યાદવની યાચિકા 23 જુલાઇએ સુચીબદ્ધ કરવા આદેશ આપ્યા.

લાલુ પ્રસાદ તરફથી વરિષ્ઠ અધિવક્તા રામ જેઠમલાનીએ કહ્યું કે, ન્યાયાધીશ, નીતિશ કુમાર સરકારના મંત્રીના સંબંધી હોવાના કારણે તેઓ પક્ષપાત કરી શકે તેવી આશંકા છે. તેમનું કહેવું હતું કે નીતિશ કુમાર એ લાલુ પ્રદાસ યાદવના સૌથી મોટા રાજકીય શત્રુ છે. નોંધનીય છેકે આ મામલો 1990 દરમિયાન ચાયબાસા રાજકોષથી કથિત રીતે ગોટાળો કરીને 37.7 કરોડ રૂપિયા કાઢવામાં આવ્યા હોવા સાથે સંબંધિત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X