દેશના ગૌરવમાં વધારો, SCOએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ગણાવી આઠમી અજાયબી
ભારતનો તાજમહેલ વિશ્વભરના અજાયબીઓમાં હતો, પરંતુ હવે સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતનો તાજમહેલ વિશ્વભરના અજાયબીઓમાં હતો, પરંતુ હવે સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. યુરેશિયા, ભારત, પાકિસ્તાન, ચીન, કઝાકિસ્તાન, કિર્ગીસ્તાન, તાજિકિસ્તાન, રશિયા અને ઉઝબેકિસ્તાનના આઠ દેશોના જૂથ શંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા આઠ અજાયબીઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતની વિદેશ મંત્રી એસ જયશંકરે એક ટ્વીટમાં આની ઘોષણા કરી હતી. આપને જણાવી દઈએ કે એક વર્ષના માત્ર એક ક્વાર્ટરમાં 31.09 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓ યુનિટી જોવા આવ્યા છે.

સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને પછાડ્યુ
સ્ટેચ્યુ ઓફ યુનિટીએ પ્રવાસીઓની સંખ્યાની તુલનામાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને પણ પાછળ છોડી દીધુ છે. વિશ્વના પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝિનએ સ્ટેચ્યુ ઓ યુનિટીમાં જોવા માટેના 100 શ્રેષ્ઠ સ્થાનોમાં માવેશ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ટાઈમ મેગેઝિનની વર્ષ 2019ની સૂચિમાં વિશ્વની સૌથી ઉંચીપ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને આગોતરા સ્થાન આપવામાં આવ્યું છે. નિર્માણના ટૂંકા ગાળામાં, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરના પ્રવાસીઓ માટે શ્રેષ્ઠ પસંદગી બની છે.
|
એસ જયશંકરે ટ્વીટ કર્યું
નોરોવને મળ્યા બાદ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું, 'સભ્ય દેશોમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે એસસીઓના પ્રયત્નોની હું પ્રશંસા કરું છું. તેમણે કહ્યું કે એસસીઓના આઠ અજાયબીઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ ચોક્કસપણે પ્રેરણા તરીકે જોવામાં આવશે. ભારતનો તાજમહેલ એસસીઓ સિવાય વિશ્વના સાત અજાયબીઓમાં સામેલ છે.

31 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી
સ્ટેચ્યુ ઓફ યુનિટી એ દેશના પહેલા ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા છે. નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ નજીક કેવડિયા ખાતે સ્થાપવામાં આવી છે. તેનું અનાવરણ 31 ઓક્ટોબર 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. મીડિયા અહેવાલો અનુસાર, 31.09 લાખ પ્રવાસીઓએ એક વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. આથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને કુલ 79.94 કરોડ રૂપિયાની આવક થઈ છે.

વિશ્વના આઠમી અજાયબીમાં શામેલ
તાજેતરમાં શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વના 8મા અજાયબીઓમાં શામેલ કર્યું છે. વોલ ઓફ ચાઇના, જોર્ડનના પેટ્રા, રોમ-ઇટાલીનો કોલેજિયમ, મેક્સિકો સિટી ચિચન ઇત્ઝા, પેરુનો મયુપિયુ, ભારતનો તાજમહેલ, અને બ્રાઝિલનો ક્રાઇઝ રેફ રિડીમર પછી હવે સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની આઠમી અજાયબી છે. હવે ભારતની 2 અજાયબીઓ વિશ્વના 8 અજાયબીઓમાં સામેલ થયા છે. ઉલ્લેખનિ છેકે શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનને સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વના 8 અજાયબીઓમાં શામેલ કર્યા પછી ટૂરિઝમ ઉદ્યોગને ફાયદો થશે. શાંઘાઈ કોર્પોરેશનના સભ્ય દેશોમાં જાહેર કરશે.












Click it and Unblock the Notifications
