શહીદ-એ-આઝમ ભગત સિંહ રાજ્ય યુવા પુરસ્કારથી પોલીસ અધિકારી સમ્માનિત, સીએમ માને આપ્યુ પ્રોત્સાહન
ચંદીગઢ: પંજાબ પોલીસના વરિષ્ઠ અધિકારી ગુરજોત સિંઘ ક્લેર, જેઓ હાલમાં એઆઈજી - આબકારી અને કરવેરા વિભાગની ભૂમિકામાં કામ કરી રહ્યા છે, તેમને શહીદ ભગતસિંહની શહીદીની પૂર્વસંધ્યાએ ફિરોઝપુર જિલ્લાના હુસૈનીવાલા સરહદ પર શહીદ-એ-આઝમ ભગત સિંહ રાજ્ય યુવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રની સેવા કરવા અને સમાજ પ્રત્યે અનુકરણીય ફરજ બજાવવાની તેમની નિઃસ્વાર્થ પ્રતિબદ્ધતાને કારણે તેમને આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.
કોરોના રોગચાળા દરમિયાન યુવાનોને પ્રેરણા આપવા માટે તેમણે યુકેના નોટિંગહામમાં હવામાં 15000 ફૂટની ઊંચાઈથી એક સાહસિક સ્કાયડાઈવ કર્યુ હતુ, જેમાં ડૉક્ટરો, નર્સો, પોલીસ કર્મચારીઓ, પત્રકારો અને અન્ય ફ્રન્ટલાઈન કાર્યકરો જેવા કોરોના યોદ્ધાઓના બલિદાનને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
Weather Update: દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના, હવામાન વિભાગે આપ્યુ એલર્ટ
તેમણે એસએએસ નગર (મોહાલી) જિલ્લામાં વરિષ્ઠ નાગરિકો માટે મફત કોરોના રસીકરણ કેબ પણ શરૂ કરી, જેની સમગ્ર પંજાબમાં વ્યાપક પ્રશંસા થઈ. તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી મફત કેબ સેવા વરિષ્ઠ નાગરિકોને તેમના ઘરેથી લઈ જતી હતી અને સફળ રસીકરણ પછી કેબ તેમને તેમના નિવાસસ્થાને પાછા મુકતી હતી. કેટલાક કિસ્સાઓમાં, જ્યાં વૃદ્ધ વ્યક્તિઓ હૉસ્પિટલમાં જવા માટે શારીરિક રીતે યોગ્ય ન હોય, તો તે ડૉકટરો અને નર્સોને વરિષ્ઠ નાગરિકોના ઘરની મુલાકાત લેવા વિનંતી કરતા.
સુપ્રીમ કોર્ટ પહોંચ્યા 14 પક્ષ, CBI-EDના કામ પર ઉઠાવ્યા સવાલ, 5 એપ્રિલે સુનાવણી