આમંત્રણ છતાં પીએમ મોદીના શપથ ગ્રહણમાં ન ગયા શરદ પવાર, આ વાતથી હતા નારાજ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના પ્રમુખ શરદ પવાર પીએમ નરેન્દ્ર મોદી તેમજ મંત્રીઓના શપથ ગ્રહણ સમારંભમાં શામેલ ન થયા અને તે મુંબઈ પાછા આવી ગયા.
રાષ્ટ્રપતિ ભવનમાં ગુરુવારે સાંજે આયોજિત સમારંભમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પીએમ નરેન્દ્ર મોદીને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા. શપથ ગ્રહણ સમારંભમાં સત્તાધારી દળના નેતાઓ ઉપરાંત વિપક્ષી દળોના નેતા પણ હાજર રહ્યા. જો કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના પ્રમુખ શરદ પવાર પીએમ નરેન્દ્ર મોદી તેમજ મંત્રીઓના શપથ ગ્રહણ સમારંભમાં શામેલ ન થયા અને તે મુંબઈ પાછા આવી ગયા. આની પાછળનું કારણ શરદ પવારને પાંચમી લાઈનમાં સીટ મળવાનુ જણાવવામાં આવી રહ્યુ છે.

પાંચમી લાઈનમાં સીટ મળવાથી નારાજ હતા શરદ પવાર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર શરદ પવાર નારાજ હતા કારણકે તેમને ગુરુવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર શપથ ગ્રહણ સમારંભમાં પાંચમી લાઈનમાં સીટ આપવામાં આવી હતી. બાદમાં શરદ પવારની પાર્ટી તરફથી આ બાબતે માહિતી આપવામાં આવી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવકતા નવાબ મલિકે નારાજગી વ્યક્ત કરતા કહ્યુ કે શરદ પવાર વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા છે અને તે મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે.

એનસીપીના કોંગ્રેસમાં વિલયની અટકળોને પવારે ફગાવી
એનસીપીના પ્રવકતાએ જણાવ્યુ કે શરદ પવારના કાર્યાલય કર્મીઓએ જોયુ કે તેમના બેસવા માટે જે સીટ નક્કી કરવામાં આવી છે તે પ્રોટોકોલ મુજબ નથી. એટલા માટે તે આ કાર્યક્રમમાં શામેલ ન થયા. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શરદ પવારના નિવાસ સ્થાને મુલાકાત કરી. આ મુલાકાત બાદ એનસીપીના કોંગ્રેસમાં વિલયની ચર્ચા થવા લાગી. જો કે પવારે આ અટકળોને ફગાવી દીધી.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે એનસીપીએ મળીને લડી હતી લોકસભા ચૂંટણી
શરદ પવારે રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ ટ્વીટ કર્યુ, ‘દિલ્લીમાં મારા નિવાસ સ્થાને, અમે આગામી વિધાનસભા ચૂંટણીઓ અને મહારાષ્ટ્રમાં દુષ્કાળની સ્થિતિ વિશે ચર્ચા કરી.' તમને જણાવી દઈએ કે હાલમાં જ પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને મહારાષ્ટ્રમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધને 48માંથી 41 સીટો પર કબ્જો જમાવ્યો હતો.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
