'એફડીઆઇ પર તટસ્થ રહેનાર દળોને ઇતિહાસ માફ નહી કરે'

જનતાદળ(યુ)ના નેતા શરદ યાદવે સરકારને આગ્રહ કર્યો કે તે રિટેલમાં ચોખ્ખું વિદેશી રોકાણના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઇએ. યાદવે કહ્યું કે યુપીએ સરકાર સદનમાં આ લડાઇ ભલે જીતી શકતી હોય, પરંતુ નીતિથી દુરોગામી પરિણામ આવશે. રિટેલમાં એફડીઆઇ પર મતદાન પહેલાં યાદવે કહ્યું, તમે લડાઇ જીતી શકો છો, પરંતુ ભાવી પેઢી આપણને માફ નહીં કરે.
શરદ યાદવે કેન્દ્રીયમંત્રી કપિલ સિબ્બલ તરફ ઇશારા કરતા કહ્યું, તમારે આ નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઇએ. યાદવે કહ્યુ કે વિપક્ષનો ઇરાદો સરકારને અસ્થિર કરવા માટે નથી, પરંતુ રિટેલમાં એફડીઆઇને પરત લેવવા માટે દબાણ બનાવવાનો છે. શરદ યાદવે કહ્યું કે, અમે દેશને બચાવવા માટે એફડીઆઇનો વિરોધ કરી રહ્યાં છીએ. વોલમાર્ટ અહીં નફા માટે છે, આ દેશના ગરીબો વિરોધી છે અને તમે તેને તેમના પર થોપી રહ્યાં છો.
માકપાના બાસુદેવ આચાર્યએ સરકારના એ દાવાને ખોટો ગણાવ્યો કે રિટેલ ક્ષેત્રમાં એફડીઆઇ લાવવા ખેડુતો અને રિટેલ ક્ષેત્રમાં લોકોને લાભ મળશે. તેમણે કહ્યું કે તેનાથી વિપરીત એફડીઆઇથી ખેડુતો અને નાના દુકાનદારોને સૌથી વધારે અસર થશે.
તેમણે કહ્યું કે રિટેલ ક્ષેત્રમાં એફડીઆઇ લાવવાથી જો રોજગારીની તકો વધે, ઉત્પાદન વધે અથવા તો દેશમાં કોઇ નવી ટેક્નોલોજી આવે, તો ડાબેરીઓ તેનું સમર્થન કરવા તૈયાર છે, પરંતુ આ તેનાથી ઉલટું છે, તેથી તેનો આકરો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
