Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'એફડીઆઇ પર તટસ્થ રહેનાર દળોને ઇતિહાસ માફ નહી કરે'

sharad yadav
નવીદિલ્હી, 5 ડિસેમ્બરઃ લોકસભામાં મત વિભાજન હેઠળ મલ્ટી-બ્રાન્ડ રિટેલમાં એફડીઆઇ પર મંગળવારે શરુ થયેલી ચર્ચા આજે આગળ વધી હતી. વિપક્ષે સરકારને પોતાનો આ નિર્ણય પરત લેવા આગ્રહ કર્યો હતો અને આ મુદ્દે તટસ્થ વલણ અપનાવનારા રાજકીયદળોને ચેતવણી આપી હતી કે ઇતિહાસ તેમને માફ નહીં કરે.

જનતાદળ(યુ)ના નેતા શરદ યાદવે સરકારને આગ્રહ કર્યો કે તે રિટેલમાં ચોખ્ખું વિદેશી રોકાણના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઇએ. યાદવે કહ્યું કે યુપીએ સરકાર સદનમાં આ લડાઇ ભલે જીતી શકતી હોય, પરંતુ નીતિથી દુરોગામી પરિણામ આવશે. રિટેલમાં એફડીઆઇ પર મતદાન પહેલાં યાદવે કહ્યું, તમે લડાઇ જીતી શકો છો, પરંતુ ભાવી પેઢી આપણને માફ નહીં કરે.

શરદ યાદવે કેન્દ્રીયમંત્રી કપિલ સિબ્બલ તરફ ઇશારા કરતા કહ્યું, તમારે આ નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઇએ. યાદવે કહ્યુ કે વિપક્ષનો ઇરાદો સરકારને અસ્થિર કરવા માટે નથી, પરંતુ રિટેલમાં એફડીઆઇને પરત લેવવા માટે દબાણ બનાવવાનો છે. શરદ યાદવે કહ્યું કે, અમે દેશને બચાવવા માટે એફડીઆઇનો વિરોધ કરી રહ્યાં છીએ. વોલમાર્ટ અહીં નફા માટે છે, આ દેશના ગરીબો વિરોધી છે અને તમે તેને તેમના પર થોપી રહ્યાં છો.

માકપાના બાસુદેવ આચાર્યએ સરકારના એ દાવાને ખોટો ગણાવ્યો કે રિટેલ ક્ષેત્રમાં એફડીઆઇ લાવવા ખેડુતો અને રિટેલ ક્ષેત્રમાં લોકોને લાભ મળશે. તેમણે કહ્યું કે તેનાથી વિપરીત એફડીઆઇથી ખેડુતો અને નાના દુકાનદારોને સૌથી વધારે અસર થશે.

તેમણે કહ્યું કે રિટેલ ક્ષેત્રમાં એફડીઆઇ લાવવાથી જો રોજગારીની તકો વધે, ઉત્પાદન વધે અથવા તો દેશમાં કોઇ નવી ટેક્નોલોજી આવે, તો ડાબેરીઓ તેનું સમર્થન કરવા તૈયાર છે, પરંતુ આ તેનાથી ઉલટું છે, તેથી તેનો આકરો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X