For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘુસણખોરીમાં આતંકવાદીઓની મદદ કરે છે પાકિસ્તાન: શિંદે

|
Google Oneindia Gujarati News

sushil shinde
નવી દિલ્હી, 22 ઓક્ટોબર: કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ સરહદ પારથી ઘુસણખોરી કરી રહેલા આતંકવાદીઓની કરાતી મદદને લઇને પાકિસ્તાન પર સીધો પ્રહાર કર્યો હતો. શિંદેએ જણાવ્યું કે અમારી પાસે ગુપ્ત જાણકારી છે કે આતંકવાદીઓને અમારા દેશમાં ઘુસાડવામાં પાકિસ્તાન તેની મદદ કરી રહ્યું છે, પરંતુ અને એલર્ટ છીએ.

તેમણે જણાવ્યું કે ગૃહમંત્રાલયે સુરક્ષાદળોને તહેવારોના દિવસોમાં ખાસ સાવધાની રાખવા અને શાંતિ બનાવી રાખવા નિર્દેશ કર્યો છે. પોલીસ સ્મૃતિ દિવસ પર અહીં આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલ ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે 'હું તમામ નાગરિકોને પણ આહ્વાન કરું છું કે તેઓ પણ સાવધાની રાખે.'

તેમણે જણાવ્યું કે જ્યાં સુધી જમ્મુ-કશ્મીરમાં શાંતિ ના છવાય ત્યા સુધી સેનાને પાછી બોલાવી લેવાય તેમ નથી. શિંદેએ જણાવ્યું કે 'જ્યારે હું જમ્મુ-કાશ્મીરમાં હતો ત્યારે મને સ્થાનિક લોકોએ ત્યાથી સેના હટાવી લેવાનો આગ્રહ કર્યો. પરંતુ મેં તેમને જણાવ્યું કે જ્યા સુધી સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ વાતાવરણ ના થઇ જાય ત્યા સુધી અમે તેવું કરી શકીશું નહીં.' ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે સુશીલ શિંદેએ જમ્મુ-કશ્મીરની મુલાકાત લીધી હતી.

English summary
Home minister Sushil Kumar Shinde on Sunday attacked Pakistan for fomenting terror in India, accusing the neighbour of helping infiltration bids into Indian territory and organizing attacks on military convoys in J&K to spread fear.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X