શિંદેની શિવસેના જ સાચી શિવસેના, ઉદ્ધવ ઠાકરેની સુપ્રીમ કોર્ટ જવા તૈયારી
મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉતર-ચડાવ વચ્ચે નવો વણાંક આવ્યો છે. હવે વિધાનસભા અધ્યક્ષે એકનાથ શિંદેની શિવસેનાને જ સાચી શિવસેના ગણાવી છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે ગ્રુપે સુપ્રીમ કોર્ટ જવાની તૈયારી શરૂ કરી છે.
શિવસેનાથી અલગ થયા બાદ રચાયેલા બે જૂથોમાંથી મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષે સીએમ એકનાથ શિંદેના જૂથને અસલી શિવસેના ગણાવી છે. હવે સીએમ શિંદે સીએમ રહેશે. તેમજ 16 ધારાસભ્યોની સદસ્યતા પર કોઈ ખતરો નથી.

હવે આ મામલે ઉદ્ધવ ઠાકરેના જૂથની પ્રતિક્રિયા સામે આવી છે. પાર્ટીના નેતા સંજય રાઉતે સ્પષ્ટ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.
શિંદે જૂથને શિવસેના જાહેર કર્યા પછી શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, આ બીજેપીનું કાવતરું છે અને તેમનું સપનુ હતું કે એક દિવસ બાળાસાહેબ ઠાકરેની શિવસેનાનો નાશ કરે.. પરંતુ શિવસેના આ એક નિર્ણયથી ખતમ નહીં થાય. અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.
શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, મને જરા પણ આશ્ચર્ય નથી. અમે વહી હોતા હૈ જો મંજૂર-એ-ખુદા' હોતા હે સાંભળ્યું હતું. 2014 પછી એક નવી પરંપરા શરૂ થઈ છે. એવું જ થાય છે જેને નરેન્દ્ર મોદી અને અમિત શાહ મંજૂરી આપે છે.
મહારાષ્ટ્રમાં આ આપણે જોઈ રહ્યા છીએ. આ નૈતિકતા સાથે કમનસીબ સમાધાન છે. કંઈક એવું થઈ રહ્યું છે જેને સુપ્રીમ કોર્ટે ગેરકાયદે જાહેર કર્યું છે અને ગેરબંધારણીય ગણાવ્યુ છે.
મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં LOP અને શિવસેના (UBT)ના નેતા અંબાદાસ દાનવેએ કહ્યું કે, આ નિર્ણય ખોટો છે. જો તેમને આ નિર્ણય લેવો જ હતો તો આટલો સમય કેમ લીધો? અમે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં લઈ જઈશુ.












Click it and Unblock the Notifications
