લોકસભા ચૂંટણી 2019 પહેલા શિરોમણિ અકાલી દળનું મોટુ એલાન
આગામી લોકસભા ચૂંટણી પહેલા શિરોમણિ અકાલી દળે મોટુ એલાન કર્યુ છે. શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે કહ્યુ કે તેમનો પક્ષ 2019 માં થનારી લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં એકલા હાથે ચૂંટણી લડશે.
આગામી લોકસભા ચૂંટણી પહેલા શિરોમણિ અકાલી દળે મોટુ એલાન કર્યુ છે. શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે કહ્યુ કે તેમનો પક્ષ 2019 માં થનારી લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં એકલા હાથે ચૂંટણી લડશે. પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી બાદલે કહ્યુ કે તેમનો પક્ષ કોઈની પણ મદદ વિના ચૂંટણીમાં જીત મેળવશે. શિરોમણિ અકાલી દળ એકલા જ હરિયાણામાં કોઈ પક્ષની મદદ વિના ચૂંટણી મેદાનમાં ઉતરશે.
તમને જણાવી દઈએ કે આ પહેલા શિરોમણી અકાલી દળ ઈન્ડિયન નેશનલ લોકદળ સાથે સંગઠન કરીને હરિયાણમાં ચૂંટણી લડતી હતી પરંતુ બંને પક્ષોએ થોડા મહિના પહેલા જ આ ગઠબંધન તોડી દીધુ છે. બાદલે એલાન કર્યુ છે કે જો શિરોમણિ અકાલી દળ ચૂંટણીમાં જીતશે તો પક્ષ કૃષિ ક્ષેત્રમાં લોકોને 400 યુનિટ મફત વિજળી આપશે તેમજ સિંચાઈ માટે મફત ખેતરો સુધી મફત પાઈપ પહોંચાડશે.
આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી પહેલાં શરૂ થયેલું ઉપવાસનું શસ્ત્ર કેટલું કારગર નિવડશે?
આ રેલીમાં સુખબીર સિંહ બાદલ ઉપરાંત પંજાબના પૂર્વ કેબિનેટ મંત્રી વિક્રમ સિંહ મજીઠિયા અને હરિયાણાના પક્ષ ઈન્ચાર્જ બલવિંદર સિંહ ભૂંદેર પણ હાજર હતા. આ દરમિયાન અમુક લોકોએ બાદલને કાળા વાવટા બતાવ્યા અને તેમની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા.
આ પણ વાંચોઃ કેરળ પૂર: જાણો કોણે કેટલી મદદ કરી