હૈદરાબાદ એન્કાઉન્ટર: શિવસેનાએ આપી પ્રતિક્રીયા
હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ અને હત્યાના આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.
હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ અને હત્યાના આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. તેલંગાણા પોલીસના આ પગલાથી દેશને એક બાજુ જ્યાં પોલીસની કાર્યવાહીથી લોકો ખુશ છે અને તેમના ઉપર ફૂલો વહાવી રહ્યા છે, જ્યારે બીજી બાજું એન્કાઉન્ટર પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. શિવસેનાએ પણ તેના મુખપત્ર સામના દ્વારા હૈદરાબાદ એન્કાઉન્ટર પર લેવામાં આવેલી કાર્યવાહી અંગે શંકા વ્યક્ત કરી છે.

પોલીસ જિંદાબાદના નારા લગાવી રહ્યા છે લોકો
સેનાના મુખપત્ર સામનામાં શનિવારે છપાયેલા એક લેખમાં હૈદરાબાદ એન્કાઉન્ટર અંગે મોટી ચર્ચા થઈ છે. શિવસેનાએ સંપાદકીય લેખમાં જણાવ્યું હતું કે, હૈદરાબાદ પોલીસે તપાસ, ચાર્જશીટ, સુનાવણી અને કોર્ટની તારીખો જેવી કાનૂની પ્રક્રિયાને બાયપાસ કરીને કેસને સમાપ્ત કરવા માટે એક શોર્ટકટ પદ્ધતિ પસંદ કરી છે. શિવસેનાએ સામનામાં લખ્યું છે કે, પીડિતાને ન્યાય મળ્યો છે અને જનતા પોલીસ જિંદાબાદના નારા લગાવી રહી છે અને ફૂલો વહાવી રહી છે.

પોલીસની વાત પર નથી ભરોશો
પોલીસના એન્કાઉન્ટર બાદ શિવસેનાએ નિવેદન આપ્યું હતું કે, દેશને કહેવામાં આવ્યું હતું કે પોલીસ આરોપીને બનાવને રીક્રીયેટ કરવા માટે લઇ ગઇ હતી. જ્યાંથી આરોપીઓએ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસને તેમનુ એન્કાઉન્ટર કરવાની ફરજ પડી હતી. શિવસેનાએ લખ્યું છે કે ચારેય આરોપીઓની હત્યા પર લોકોએ ખુશી વ્યક્ત કરી છે, પરંતુ પોલીસની આ વાત કોઈ માનશે નહીં.

સવાલોના ઘેરામાં તેલંગણા પોલીસ
નોંધપાત્ર વાત એ છે કે, 27 નવેમ્બરના રોજ તેલંગાણાની રાજધાની, હૈદરાબાદમાં મહિલા ડોક્ટરની બળાત્કાર અને હત્યા બાદ દેશભરના લોકો રસ્તા અને સોશિયલ મીડિયા પર ગુસ્સે થયા હતા. આ ઘટનાના 7 દિવસ પછી શુક્રવારે સવારે સમાચાર આવે છે કે પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં ચારેય આરોપીની હત્યા કરવામાં આવી છે. જે બાદ લોકોનો ગુસ્સો થોડો ઓછો થયો પરંતુ હવે પોલીસ સવાલોના ઘેરામાં છે. શનિવારે હ્યુમન રાઇટ્સ કમિશને પોલીસ વિરુદ્ધ નોટિસ ફટકારીને જવાબ માંગ્યો હતો.

એન્કાઉન્ટર સામે સુપ્રીમ કોર્ટમાં અરજી
મહિલા ડોક્ટર પર ગેંગરેપ થયા બાદ હત્યાના ચારેય આરોપીઓની એન્કાઉન્ટરનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. એન્કાઉન્ટરમાં સામેલ પોલીસકર્મીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગણી સાથે હૈદરાબાદ પોલીસે કરેલી આ કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. તેમજ આ સમગ્ર મામલાની તપાસ થવી જોઇએ તેવી પણ અરજીમાં માંગ કરવામાં આવી છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
