ભારતમાં દમ હોય તો પાકિસ્તાનમાંથી દાઉદને પકડીને લાવે: શિવસેના

મુંબઇ, 29 ડિસેમ્બર: મોસ્ટ વોંટેડ ડોન દાઉદ ઇબ્રાહીમનો તાજો ઓડિયો સામે આવ્યા બાદ શિવસેનાએ ભારત સરકારને તેને પકડવાના અભિયાનને વધુ ઝડપી બનાવવા માટે જણાવ્યું છે. શિવસેનાએ સામનામાં એક લેખમાં લખ્યું છે કે દાઉદને પકડવા માટે ભારત સરકાર કરાચીમાં અભિયાનની શરૂઆત કરે.

સામનામાં લખેલા લેખમાં કહેવામાં આવ્યું છે કે જે પ્રકારે અમેરિકાએ ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં જઇને ઠાર માર્યો હતો તેવી જ રીતે ભારતે પણ કરાચીમાં અભિયાન ચલાવીને દાઉદને ઠાર મારવાની કોશીશ કરવી જોઇએ.

shiv sena
શિવસેના શરૂઆતથી જ દાઉદની વિરુદ્ધ અભિયાન કરવાની માંગ કરતું આવ્યું છે. સામનામાં લખ્યું છે કે હાફિઝ સઇદ અને દાઉદ ઇબ્રાહીમ જેવા ખુંખાર આતંકવાદીઓને પાકિસ્તાનમાં રાજનૈતિક શરણ મળી રહી છે. આ ખુંખાર આતંકવાદીઓને પાકિસ્તાન ઉપરાંત કોઇ પણ અન્ય દેશમાં શરણ મળી શકે નહીં. ઘણા વર્ષોથી આપણે પાકિસ્તાન સરકારને આ બંનેને ભારતને સોંપવાની અપીલ કરતા આવ્યા છીએ. પરંતુ પાકિસ્તાન હંમેશાથી ઇનકાર કરતું રહ્યું છે. પરંતુ શું એવામાં ભારત સરકાર અમેરિકાની તર્જ પર દાઉદને પાકિસ્તાનમાં ઠાર મારવાની હિમ્મત ધરાવે છે.

નોંધનીય છે કે ભારત સરકારે પાકિસ્તાનથી દાઉદને ભારતને સોંપવા જણાવ્યું હતું. ભારતે જણાવ્યું હતું કે તેમણે પાકિસ્તાન સરકારને દાઉદની વિરુદ્ધ પુરતા પુરાવા સોંપ્યા છે. શિવસેનાનું કહેવું છે કે પાકિસ્તાનમાં છૂપાયેલા આતંકવાદીઓનો ખેલ ખત્મ થવો જોઇએ. અમારી સરકાર કહે છે કે તે તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. પરંતુ આનાથી શું ફાયદો થવાનો છે આ ઘણા વર્ષોથી ચાલી આવી રહ્યું છે, જેને હવે સમાપ્ત કરવું જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X