જમીનમાંથી ખજાનો નીકળ્યો, લોકો ચાંદીના સિક્કા લૂંટીને લઇ ગયા
રાજસ્થાનના જોધપુર જિલ્લામાં સલાના ગામમાં ખોદકામ દરમિયાન ખજાનો મળવાનો મામલો સામે આવ્યો છે.
રાજસ્થાનના જોધપુર જિલ્લામાં સલાના ગામમાં ખોદકામ દરમિયાન ખજાનો મળવાનો મામલો સામે આવ્યો છે. જયારે ગામના લોકોને ખજાનો મળવાની વાત ખબર પડી ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં આવી ગયા અને તેમનામાં ચાંદીના સિક્કા લૂંટવાની હોડ મચી ગઈ.

જોધપુર જિલ્લાના સલાના કલા ગામમાં ઘેવરપુરી મહારાજનું મઠ છે, જ્યાં તેઓ સાધના કરતા હતા. અહીં ભગવાન શિવનું પણ એક મંદિર છે. સોમવારે બપોરે મઠની દીવારનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ચાંદીના સિક્કા મળી આવ્યા. ગ્રામીણો ઘ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ચાંદીના સિક્કા ભરેલો એક ઘડો મળ્યો છે, જે એક વ્યક્તિ લઈને ચાલ્યો ગયો.
આ પણ વાંચો: મૃતકને દફનાવવા કબર ખોદી, મસાણમાંથી નીકળ્યો ખજાનો
ઘેવરપુરી મહારાજ મઠમાં ખોદકામ દરમિયાન સિક્કા મળવાની વાત આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ. મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પણ ત્યાં પહોંચી ગયા અને ત્યાં તેઓ સિક્કા શોધવામાં લાગી ગયા, જેમાંથી ઘણા લોકોને સિક્કાઓ મળ્યા પણ હતા.

બીજી બાજુ ગામમાં ખોદકામ દરમિયાન ચાંદીના સિક્કા મળવાની ભનક પોલીસને લાગી ગઈ. એસએચઓ હરિશ્ચંદ્ર સોલંકી જગ્યા પર પહોંચી ગયા પરંતુ ગ્રામીણો અનુસાર પોલીસના પહોંચતા પહેલા જ લોકો હજારો ચાંદીના સિક્કા લઈને ચાલ્યા ગયા હતા. ગ્રામીણો ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે મઠમાં ખોદકામ કરતા ખજાનો નીકળી શકે છે. અહીંથી નીકળેલા સિક્કાઓ આકારમાં નાના છે, પરંતુ તેના પર શુ લખ્યું છે, તે સ્પષ્ટ નથી જોઈ શકાતું.
આ પણ વાંચો: ખોદકામમાં મનરેગા મજૂરોને મુગલ જમાનાના સિક્કાઓ મળ્યા
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
