જયપુરમાં શ્રદ્ધા હત્યા જેવી જ ઘટના, લાશના 10 ટુકડા કરી ફેંકી દીધા
આજકાલ દેશમાં જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે તેને જોતા લાગી રહ્યું છે કે દેશમાં ગુનાખોરી બેફામ રીતે વધી ગઈ છે. હવે રાજસ્થાનના જયપુરમાં દિલ્હીના શ્રદ્ધા હત્યા જેવો જ કેસ સામે આવ્યો છે.
આજકાલ દેશમાં જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે તેને જોતા લાગી રહ્યું છે કે દેશમાં ગુનાખોરી બેફામ રીતે વધી ગઈ છે. હવે રાજસ્થાનના જયપુરમાં દિલ્હીના શ્રદ્ધા હત્યા જેવો જ કેસ સામે આવ્યો છે. અહીં આરોપીએ લાશના 10 ટુકડા કરીને ફેંકી દીધી છે.
સામે આવી રહેલા સમાચાર મુજબ, જયપુરના વિદ્યાનગર વિસ્તારમાં એક ભત્રીજાએ તેની કાકીની હત્યા કરીને લાશના 10 ટુકડા કરી દીધા છે. હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને આરોપી અનુજ શર્માની ધરપકડ કરી લીધી છે. ડીસીપી નોર્થ પરિસ દેશમુખ અનુસાર, આરોપી અનુજે 11 ડિસેમ્બરે આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેમણે તેની 62 વર્ષની કાકી સરોજ શર્માના માથા પર હથોડીથી હુમલો કર્યો હતો. ત્યારબાદ લાશને બાથરૂમમાં ખેંચી ગયો અન ટુકડા કરી દીધા.
ડીસીપી પરિસ દેસમુખ અનુસાર, આરોપી અનુજે પહેલા મૃતદેહને છરીથી કાપવાનો પ્રયાસ કર્યો હતો. તેનાથી મૃતદેહ ન કપાતા તેણે બાથરૂમમાં જ માર્બલ કટર મશીનથી લાશના 10 ટુકડા કર્યા. આ ટુકડાઓ સૂટકેસમાં ભરીને દિલ્હી રોડ પર અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા. હાલ પોલીસેલાશના 8 ટુકડા કબજે કર્યા છે. હાલ પોલીસે માર્બલ કટર અને સૂટકેસ સહિતના સાધનો જપ્ત કર્યા છે.
ઘટનામાં એક પછી એક ચૌકાવનારી બાબતો સામે આવી રહી છે. મળતી વિગતો અનુસાર, આરોપી અનુજ ઇસ્કોન મંદિરમાં ભગવાન સેવક હતો. તે કૃષ્ણ ભક્ત છે. તેણે પોતાના જીવનમાં ક્યારેય નોન-વેજ નથી ખાધુ. હવે અનુજે હત્યા કરી છે. તે ઇસ્કોન મંદિરની હરે કૃષ્ણ મુવમેન્ટ સાથે સંકળાયેલી છે. 11 ડિસેમ્બરે તેમને ભજન કીર્તન માટે દિલ્હી જવાનું હતું. તે જ દિવસે તેણે તેની કાકી સરોજની હત્યા કરી હતી.
આરોપી અનુજે હત્યા કરીને તેની બહેનને કાકી ગાયબ હોવાની માહિતી આપી હતી. આરોપીએ જણાવ્યુ કે, તેની કાકી ગાયને રોટલી નાંખવા માટે બહાર નીકળી હતી અને ગાયબ થઈ ગઈ. ત્યારબાદ તેની બહેન જયપુર આવી હતી. અહીં તેને લોહીના ડાઘ દેખાતા શંકા પડી હતી. ત્યારબાદ પોલીસમાં ગાયબ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની પુછપરછ કરતા તમામ બાબતો સામે આવી હતી.